Wednesday, November 16, 2016

વાચક સંવાદ...(ચર્ચા પત્રો)



હમણાં જ આપણે પુસ્તક દિવસ ઉજવ્યો અને સેક્સ્પીયરને યાદ કર્યા તેઓ 16 મી સદીમાં થઈ ગયા,એમના નાટકોના ફિલ્માંકન દ્વારા હજુ પણ ભારતમાં જીવે છે.તેનું મૂળ તો એમના લિખિત પુસ્તકો જ છે.હમણાં જ આપણે કિપલિંગની જંગલબુક નિહાળી જે બે સપ્તાહમાં 118 કરોડે પહોચી છે, આ પણ એક પુસ્તકનો જ પ્રતાપ છે.જો ફિલ્મો પુસ્તક પરથી જ અસ્તિત્વમાં આવે છે તો પછી ભારતીય સાહિત્યમાં કેમ નહી?આવી જ હાલત ગુજરાતી સાહિત્યમાં પણ છે.ગુજરાતી ફિલ્મો હવે તો નવિન વિષયવસ્તુ સાથે આવે છે તો ખરી પણ સાહિત્યને કેમ માન નથી અપાતું?એક તરફ પાશ્ચાત્ય વિચારો અપનાવવા પર ખચકાટ છે તો બીજી તરફ વિદેશી પુસ્તક પરની ફિલ્મો હોંશેથી જોવાય છે. આ પણ વિચારવા જેવી વાસ્તવિકતા તો છે જ.' અમૃતા 'ને જ્ઞાનપીઠ મળ્યો એ વાત આપણાથી અજાણ નથી પણ કેટલા લોકોએ આ અમૃતા વાંચી? , કેટલા લોકોને વિચાર આવ્યો કે આ કૃતિ પણ એક ફિલ્મની હકદાર છે? છેલ્લે એક વાત...કદાચ આપણા આધુનિક વિચારો સાહિત્ય પર હાવી તો નથી થતા ને ? 


 

No comments:

Post a Comment