Showing posts with label Gahri khoj articles. Show all posts
Showing posts with label Gahri khoj articles. Show all posts

Wednesday, November 9, 2016

દશામાઁની અવદશા

                                    દશામાઁની અવદશા

તસવીર:-કલ્પેશ મકવાણા

         શ્રાવણ માસ એટલે વ્રતોનો મેળો . આ મહિનામાં આવતા તહેવારો અને વ્રતોનો એક અલગ મહિમા ધરાવે છે. અષાઢ માસના અંતે અને શ્રવણની શરુઆતમા મોટા શહેરોના રસ્તાઓ પર દશામાઁ ની મોહકમુતિઁ ઓ હાથ-લારીઓમા જોવા મળે છે. શ્રાવણ સુદ એકમ અને દિવીસાના દિવસથી દશામાઁના પાવન વ્રતની શરુઆત થાય છે. મુતિઁની સ્થાપના કરી દસ દિવસ સવાર-સાંજ કથા-આરતી કરે છે ગામડાઓમા તો પુરુષો પણ આ વ્રત કરે છે
 
          આદિકાળમા આ મુતિઁઓ માટીથી બનાવામા આવતી,વ્રત પુરુ થયાબાદ નદી કે તળાવમા પધરાવી દેવામા આવતી હતી. આજના આધુનિક યુગમા માટીની જગ્યાએ પી..પી ( પ્લાસ્ટર ઓફ પેરિસ ) આવી ગયુ.આવી મુતિઁઓ નદીના પાણીમા ન પીગળવાને કારણે પ્રદુષણમા વધારો કરે છે. શહેરની જીવાદોરી સમાન સાબરમતીના કિનારે આવી મુતિંના ઢગ જોવા મળે છે. મુતિઁઓની સાથે ફુલોના હાર અને અન્ય પુજાની ભરેલી પ્લાસ્ટીકની થેલીઓ તથા શ્રીફળ નદીમાં ફેરવામા આવે છે. આથી નદીમાં અને આસપાસના વિસ્તાર માં ગંદકીનુ વાતાવરણ ઊભુ થાય છે.જેનાથી મચ્છરોનો ઉપદ્રવ વધે છે અને બીમારીઓમા વધારો થાય છે.

            તંત્ર દ્વારા ગણેશજીની વિશાળકાય મુતિઁઓના વિસજૅન માટે કૃત્રિમ તળાવો બનાવાય છે પણ દશામાઁની નાની પરંતુ બહોળી સંખ્યા ધરાવતી મુતિઁઓ રસ્તાઓ પર કચરાના ઢગલા સમાન રહી જાય છે.આવી મુતિઁઓની પુજા તો થાય છે પરંતુ તેની વિસજૅનની વ્યવસ્થાનુ શું?

                       -કલ્પેશ મકવાણા  
તસવીર:-કલ્પેશ મકવાણા

તસવીર:-કલ્પેશ મકવાણા
તસવીર:-કલ્પેશ મકવાણા
તસવીર:-કલ્પેશ મકવાણા
તસવીર:-કલ્પેશ મકવાણા
તસવીર:-કલ્પેશ મકવાણા

                                           પ્રકાશિત :-   गहरी खोज

                                                                                                     તા:-13-08-2016