રાજ્યમાં જળ સંકટના એંધાણ છે, ત્યારે રાજ્યના 200 વધુ ડેમમાંથી 115 જેટલા ડેમ સુકાયેલા છે યા તો સુકાવાની તૈયારીમાં છે. હાલ આ જળાશયોમાં માંડ 10 ટકા પાણી બચ્યું છે. જ્યારે 65થી વધુ ડેમ 50 ટકાથી 10 ટકા જેટલા પાણીથી ભરેલા છે. રાજ્યમાં ડેમના પાણી સ્તર અંગે સિંચાઈ વિભાગે થોડાક આંકડા જાહેર કર્યાં છે. જેમાં રાજ્યના 203 જેટલા ડેમમાં પાણી ગત વર્ષની સરખામણીએ 9.57 ટકા પાણી ઓછું છે.
I AM Gujaratના રિપોર્ટ પ્રમાણે, હાલમાં ડેમના સ્ટરેજ પાણીમાંથી સરેરાશ 33.78 પાણી વપરાઈ રહ્યં છે. આ વપરાશમાં ઉનાળામાં સરરાશ વધારો થયો છે. જેથી કચ્છ, સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતની સ્થિતિ અતિગંભીર બની છે. હાલ આ વિસ્તારોમાં આવેલા ડેમ માત્ર 18 ટકા ભરેલા છે. મધ્ય ગુજરાતમાં 17 ડેમ આવેલા છે. જેમાં માત્ર 56.39 ટકા પાણી છે. જ્યારે દક્ષિણ ગુજરાતના 13 ડેમ માત્ર 32.94 ટકા ભરેલા છે.
અછતગ્રસ્ત વિસ્તારો માત્ર જાહેરાત પુરતા
રાજ્યમાં દુષ્કાળ પડ્યો અને જાહેર પણ થયો, પરંતુ દુષ્કાળને લગતી કોઈ કામગીરીથી હજુ કોઈ ફરક પડ્યો નથી. કેમ કે ત્યાં પણ ભ્રષ્ટાચાર તો ચાલુ. સરકારે ગામડાની પાણી સમસ્યાનો ઉકેલ લાવવા વિવિધ વિસ્તારો અછતગ્રસ્ત જાહેર તો કર્યાં પણ આ જાહેરાત માત્ર જાહેરાત પુરતી જ રહી. રાજ્યમાં પાણીની અછતને કારણે સમસ્યાઓ વધી રહી છે. ચૂંટણી સમયે સરકારી કર્મચારીઓ સંગઠનના ભારે આંદોલનની ચીમકી આપી ધાર્યું કામ કરવતા હોય છે. તમને પણ યાદ હશે કે રાજ્યમાં ચૂંટણીની જાહેરાત પહેલા કેટલીય હળતાલો પડી, કેટલાંય આંદોલનો થયાં સરકાર સત્તા પડી જાવાના ડરથી મોટી જાહેરાતો કરી નાંખી પણ સામન્ય પ્રજાનું શું? જે આજે પણ પાણી જેવી પ્રાથમિક જરૂરિયાતથી પીડાઈ રહી છે.
હવે ચૂંટણી સમયે નેતાગીરીનો મોહાલ જામશે. આપણે બધા ભાજપ-કોંગ્રેસના ઝંડા લઈ મેદાને ઉતરશું, મતના નામે એકબીજા સામે બાંયો ખેંચીશું, પણ પાણીની સમસ્યાનું શું? શહેરમાં રહેતા લોકો ગુજરાતના ગામડાની સ્થિતિ પર નજર કરશે તો ખબર પડશે કે, ખરેખર સમસ્યા કેટલી વિકટ છે. પાણીની સમસ્યા વચ્ચે ગ્રામીણ પ્રજા પીસાઈ રહી છે. હાલ તો નથી સરકાર જાગતી કે નથી કોઈ નેતા જાગતો આ પીડા કહેવી તો કોને કહેવી? ચૂંટણી સમયે જે ઉત્સુકતા નેતાઓમાં હોય એ ચૂંટણી બાદ હોતી નથી. પ્રજાને ચૂંટણીમાં લોકશાહી પ્રણાલી પ્રમાણે મત આપવાનો અને પોતાની મરજી પડે એ પક્ષને મત આપવાનો અધિકાર છે. જેને સૌથી વધુ મત મળે તે વિજેતા થાય છે, પરંતુ ચૂંટાયા બાદ બુથ્થલ નેતાઓ લોકોની સમસ્યાને ભૂલી પોતાનું રેદું ભરવાનું શરૂ કરી નાંખે છે. જેથી પ્રજા કિન્નાખોરીનો ભોગ બને છે.
તાજેતરમાં ભારતીય સંસદી કાર્યવાહીના આંકડા જાહેર થયાં છે. જેમાં ગુજરાતના સાંસદોને શરમ આવે એવા આંકડા જાહેર થયાં છે. લોકસભામાં પશ્નો પૂછી મોદી સરકારનો કાન પકડવામાં ગુજરાતના ત્રણ સાંસદો એવા પણ છે, જેમણે ગૃહમાં એક પણ પ્રશ્ન પૂચ્છો નથી. જેમાં વલસાડના સાંસદ ડૉ. સી.કે. પટેલ, ગાંધીનગરથી ભાજપના દિગ્ગજ નેતા એલ.કે. અડવાણી અને પોરબંદરના વિઠ્ઠલ રાદડિયાએ તેમના મત-વિસ્તારના માટે એક પણ પ્રશ્ન પૂછ્યો નથી. આ સાંસદોએ પોતાના મત વિસ્તાર વિકાસના કામ એક પણ લોકિહતનો પ્રશ્ન પુછ્યો નથી. લો બોલો આપણી પાસે એવા પણ નેતાઓ છે, જેમણે જંગી મતોથી જીત મેળવી પણ લોકોના પ્રશ્નોની વાચા તો ક્યાય રહી ગૃહ એક પ્રશ્ન પણ કર્યો નથી. હવે આવા નેતાઓ ચૂંટીને ગૃહમાં જાય છે. તો ક્યાંથી પ્રજાનું ભલું થશે.
રાજ્યમાં વિકાસનો V કે ગતિશીલ ગુજરાતની ગતિ કોઈએ જોઈ નથી. કદાચ રૂટીન કામને જો કોઈ વિકાસ ગણતા હોય તો ભ્રષ્ટાચારે ભરડો લીધો છે. વિકાસ એટલે “લૉટ…પાણીને...લાકડા” પ્રજા વિચારી જાય તો જાય ક્યાં, હાલમાં “સબ ડાલ પર ઉલ્લુ બૈઠાં” જેવી સ્થિતિ છે. આમ તો બહારથી કોઈ નેતા આવે તો જણાય, રાજ્ય નાનુંને નેતા જાજા…આને કહેવાય “ઠોઠ નિશાળિયાને વતરણાં જાજા'' એ તો ગામડાંના લોકો સારા છે કે નેતાઓને સહન કરે છે.
No comments:
Post a Comment