રાજા રવિ વર્મા ભારતના સૌથી જાણીતા અને પ્રભાવશાળી ચિત્રકારોમાંના એક હતાં. ઈષુની 19મી સદીના અંતમાં તેમણે ભારતીય સંસ્કૃતિનો પાશ્ચાત્ય ચિત્ર શૈલી સાથે સંગમ કરતા અનેક ચિત્રો બનાવ્યા હતાં. વર્ષ 1873માં વિયેના કલા પ્રદર્શનમાં તેમને પ્રથમ પારિતોષિક મળ્યું હતું. રવિ વર્માનો જન્મ 28 એપ્રિલ, 1847ના રોજ કેરલના કિલિમનૂરમાં થયો હતો, જ્યારે તેમનું અવસાન 2 ઓક્ટોબર, 1906નો રોજ પોતાના વતનમાં થયું હતું. આમ, બીજી ઓક્ટોબરે ગાંધી જ્યંતીની સાથે સાથે રાજા રવિ વર્માનો નિર્વાણ દિન પણ છે.
 |
તસવીરઃ- Google Photo |
રાજા રવિ વર્માના ચિત્રકલાના શોખને મૈસુરના રાજા તેમજ વડોદરાના ગાયકવાડે પોતાના રાજ્યમાં આશ્રય આપી અને પ્રોત્સાહન આપ્યું હતું. તેઓ મોટાભાગે કેનવાસ ઉપર તૈલ રંગમાં ચિત્રો બનાવતાં હતાં. આ ચિત્રોના પાત્રાલેખન માટે જરૂરી પરિધાન સાથે મહિલાઓને બેસાડતા હતાં. આ સિવાય રેફરન્સ તરીકે ફોટોગ્રાફનો પણ ઉપયોગ કરતા હતાં. રાણીઓના પોટ્રેઈટ ચિત્રો દરમ્યાન તેમના રસિક દંતકથાઓ પરના ચિત્રો પણ જાણીતા થયાં હતાં.
રવિ વર્મા કિલિમનૂરના હોવા છતાં ગુજરાત સાથેનો તેમનો નાતો અનેરો રહ્યો હતો. રવિ વર્માએ વડોદરામાં કરેલા કોરોનેશન પોટ્રેઈટ્સના સીતા ભૂમિ પ્રવેશનું પેઈન્ટિંગ સુંદરતાનો અદ્ભૂત નમૂનો છે. આ પેઈન્ટિંગ જ્યારે રિસ્ટોરેશનમાં ગયું હતું, ત્યારે તેની પાછળ ઝીણાં અક્ષરોમાં ત્રિવેન્દ્રમ લખેલું જોવા મળ્યું હતું. એટલે કે, રાજા રવિ વર્મા વડોદરા આવ્યાં, ત્યારે પોતાની સાથે કેટલાક પેઈન્ટિંગ્સ પણ લઈને આવ્યા હતા. આ અદ્ભૂત પેઈન્ટિંગમાં સીતા માતાનો પાલવ હવામાં લહેરાતો સુંદર રીતે રજૂ કરાયો છે.
રવિ વર્માએ ભારતીય દેવી-દેવતાઓને સૌપ્રથમવાર કાગળ ઉપર ઉતારી મંદિરની બહાર લાવવામાં સૌથી મોટું યોગદાન છે. રાજા રવિ વર્મા પહેલા એક એવા ચિત્રકાર હતા. જેમણે હિંદુ દેવી-દેવતાઓના અને પુરાણોના પ્રસિદ્ધ પ્રસંગોને ચિત્ર દ્વારા પહેલીવાર દ્રશ્યમાન કર્યાં હતાં.
 |
ભરત |
તેમાં શકુંતલા-દુષ્યતંની પ્રેમ કથા હોય કે પછી વિશ્વામિત્રનો મેનકા દ્વારા તપોભંગ હોય. આ સિવાય શકુંતલા અને દુષ્યંતનો પુત્ર ભરત. આ ભરત નામ પરથી આપણાં દેશનું નામ ભારત પડ્યું. એક ચિત્રમાં ભરત સિંહના દાંત ગણે છે, તે પ્રસંગ હોય કે મત્સ્યગંધા અને ઋષિ પરાશર્યનો પ્રેમ પ્રસંગ હોય. વર્માને ખાસ વીણા વાદીની માતા સરસ્વતી અને કમળમાં ઉભેલા દેવી લક્ષ્મીના ચિત્ર માટે પણ વધુ યાદ કરવામાં આવે છે.
રાજા રવિ વર્માએ એક બાળક જેટલી નાની ઉંમરે કોલસાની મદદથી દિવાલો પર આકર્ષક ચિત્રો દોરી બધાનું ધ્યાન ખેચેલું. થિરુનાલના મહારાજાએ ત્રાવણકોર પેલેસ લીધો હતો, જ્યાં રવિ વર્માને પેલેસના ચિત્રકાર રામા સ્વામી નાયડુએ રંગકામ કરવાનું શિખવ્યું હતું. બાદમાં રવિ વર્માએ ત્રણ વર્ષ સુધી બ્રિટિશ ચિત્રકાર થીઓડોર જોન્સન હેઠળ અભ્યાસ કર્યો હતો. રવિ વર્મા વર્ષ 1881માં વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડના રાજ્યાભિષેક પ્રસંગે ગુજરાતના વડોદરામાં આવ્યા અને સયાજીરાવ(ત્રીજા)નું પેઈન્ટિંગ બનાવ્યું હતું.
 |
શકુંતલા અને દુષ્યંત |
 |
વિશ્વામિત્ર અને મેનકા |
 |
શાંતનુ અને મસ્ત્યગાંધી |
કહેવાય છે કે, મહાન ચિત્રકાર રાજા રવિ વર્માએ પોતાના જીવનના થોડા વર્ષો વડોદરામાં વિતાવ્યા હતા. વડોદરાના તત્કાલીન રાજવી સર સયાજીરાવ ગાયકવાડ ત્રીજાએ રવિ વર્માનું વડોદરામાં સ્વાગત પણ કર્યું હતું. વડોદરાના રાજાએ વર્મા પાસે અનેક ચિત્રો બનાવડાવ્યાં હતાં. રવિ વર્માએ વડોદરામાં જે સ્ટુડિઓમાં ચિત્રો બનાવ્યાં હતાં. તે સ્ટુડિયો વડોદરાના લક્ષ્મી વિલાસ પેલેસ સામેના મેદાનમાં હતો. હાલમાં ત્યાં ટેકનોલોજી ફેકલ્ટી કામ કરે છે. સર સયાજીરાવના સમયમાં તે કલાભવન કહેવાતું હતું.
 |
રવિ વર્માનો વડોદરામાં આવેલો સ્ટુડિયો |
વર્ષ 1881થી 1991 સુધી એટલે કે, 10 વર્ષ રાજા રવિ વર્મા વડોદરામાં રહ્યા હતાં. રાજા રવિ વર્માએ પોતાના જીવનના શ્રેષ્ઠ ચિત્રો બનાવ્યા તેમાંના કેટલાંક ચિત્રો વડોદરામાં બન્યાં હતાં. નોંધનીય છે કે, વર્માએ રામાયણ અને મહાભારતના પ્રસિદ્ધ પ્રસંગોના ચિત્રો વડાદરામાં જ બનાવ્યા હતાં. તેની સાબિતી વડોદરાના લક્ષ્મી વિલાસ પેલેસમાં સચવાયેલા ચિત્રો આપે છે. આ સિવાય વર્માના ચિત્રોમાં લક્ષ્મી વિલાસ પેલેસની થોડી ઝલક પણ જોવા મળે છે. આમ, વડોદરાના રાજાએ વર્માને ચિત્રો બનાવવાના ઈનામરૂપે તે સમયે 50 હજાર રૂપિયા પણ આપ્યાં હતાં.
 |
લક્ષ્મી વિલાસ પેલેસ, વડોદરા |
રાજા રવિ વર્માના કેટલાંક જાણીતા અને વિવાદીત ચિત્રો




No comments:
Post a Comment