Wednesday, March 8, 2017

1857નો વિપ્લવ અને ઈડરનો ઈતિહાસ...







1957નો વિપ્લવ અને ચાંડપના ઠાકોર......

1957નો વિપ્લવ ખરેખર તો એક સ્વતંત્ર સંગ્રામ હતો, પરંતુ ઈતિહાસમાં તેને વિપ્લવ એટલે કે બળવા તરીકે ઓળખવામાં આવ્યો છે. અહીં આપણે તેને વિપ્લવ તરીકે જ નોંધ કરીશું. ઈડર તાલુકાના ચાંડપ વિસ્તારના ચૌહાણો મૂળે રજપૂત હતાં, પરંતુ 1857ના વિપ્લવમાં અંગ્રેજ, ગાયકવાડ સરકાર તેમજ ઈડરના રાજા સામે મંડેઠીના ઠાકોર સૂરજમલ અને તેના સાથીઓએ બંડ પોકાર્યું હતું. જેથી ચાંડપના ક્ષત્રિય ચૌહાણોને કોળી તરીકે ઈતિહાસમાં ઉલ્લેખ કરવામાં આવ્યાં છે. ચાંડપના નાથાજી અને તેમના 2000 જેટલા સાથીઓએ વિપ્લવમાં અંગ્રેજો, ગાયકવાડ અને ઈડરની સરકારના દમનનો સામનો કરવો પડ્યો હતો.
1857ના વિપ્લવમાં સૌપ્રથમ ગુજરાતના ક્ષત્રિયોએ પોતાના પ્રાણની આહુતી આપી હતી, જેમાં વડનગર, વિજાપુર અને ઈડરના ચાંડપ ગામના અનેક ક્ષત્રિય યુવાનોએ બ્રિટીશ હકુમત સામે બંડ પોકારી શહીદી વ્હોરી છે.

ચાંડપ સાબરકાંઠા જિલ્લાના ઈડર તાલુકામાં આવેલું છે. આ ગામમાં કોળી સમાજની વસ્તી વિપ્લવ વખતે સૌથી વધુ હતી. 1857 વખતે ગામનો વહીવટ એક મુખી દ્વારા થતો હતો. આ ગામના વહીવટનું કામ મુખી નાથાજી ગામેતી અને યમાજી ગામેતી સંભાળતા હતા. વિપ્લવ દરમ્યાન વડોદરાના ગાયકવાડે શાંતિ રાખવા 10 ઘોડેસવાર ધરાવતું એક થાણું ચાંડપમાં નાખ્યું હતું. જેથી ગામેતીઓ ઉશ્કેરાયા હતાં. 16 સપ્ટેમ્બર, 1857ના રોજ જયશંકર મહેતાએ 2 સાથીઓ સહિત હુસેન નામના ઘોડે સવારને ચાંડપના મુખી નાથાજી ગામેતીને બોલાવવા મોકલ્યો હતો, પરંતુ મુખી નાથાજીએ ઘોડેસવાર હુસેનને મારી નાંખ્યો. આમ, ચાંડપ ગામ પણ 57ના વિપ્લવમાં જોડાયું હતું. 

ચાંડપની આસપાસના બે ગામનો સહયોગ લઈને મુખી નાથાજી અને અન્ય લોકોએ ચાંડપ થાણામાં રહેલા 10 ઘોડેસવાર પર તુટી પડ્યાં હતાં. જેમાં એક  ઘોડેસવાર માર્યો ગયો અને 2 ઘાયલ થયાં હતાં. આ સમગ્ર ઘટનાના પડઘા પડ્યાં અને 20 સપ્ટેમ્બર, 1857ના રોજ 17 ઘોડેસવારો તથા 56 સૈનિક ટુકળીઓએ ચાંડપને ધેરી લીધું. આમ, ચાંડપને ચારે તરફથી ઘેરવા છતાં વિપ્લવકારીઓએ તાબે ન જ થયાં, બાદમાં મહીકાંઠા એજન્સીના મુખ્યમથક સાદરાથી મોટું લશ્કર બોલાવવામાં આવ્યું, તો બીજી તરફ ચાંડપે પણ કોળીની સૌથી વધુ વસ્તી ઘરાવતા ડભોડા ગામનો સાથ લીધો. જેમાં ડભોડા ગામે ચાંડપને શસ્ત્રો પુરા પાડ્યાં હતાં. આ બળવામાં કડી ગામે પણ ચાંડપ ગામને મદદ કરવાની તૈયારી દાખવી, પરંતુ ગાયકવાડે જાહેનામું બહાર પાડી ચાંડપને મદદ કરનાર તમામને નાશ કરવાનો હુકમ આપ્યો. તેથી ચાંડપને કડી ગામ તથા અન્ય કોઈની મદદ મળી નહોતી.

ચાંડપના કોળીઓને દબાવવા 17 ઓક્ટોમ્બર, 1857ના રોજ કુમાવીસદારની આગેવાની હેઠળ ગાયકવાડે 20 ગોલંદાજો, 7મી રેજીમેન્ટના 250 સવારો, 110 ગુજરાતી સવારો, 240 ગાયવાડી સવારો સહિત બીજા 782 સવારોની લશ્કરી ડુકળી મોકલવામાં આવી હતી. આ ટુકળીઓએ ચાંડપને ઘેરી લીધું હતું. ચાંડપના મોટાં ભાગના મકાનોને સળગાવી વેર લેવામાં આવ્યું હતું. આથી ચાંડપના લોકોમાં ભયનો માહોલ છવાયો હતો, ત્યારબાદ નાથાજી અને તેના સાથીઓ પોલિટીકલ એજન્ટ પાસે રક્ષણ આપવાની શરતે શરણાગતિ સ્વીકારવા તૈયાર થયાં, પરંતુ નાથાજીએ મક્કમ રહી 25 ઓક્ટોમ્બર, 1857ના રોજ પોલિટીકલ એજન્ટને ઘમકી આપતા એક પત્રમાં લખ્યું કે, "ત્રણ રાત્રિ અગાઉ અમે ફુલપુરમાં મળ્યા હતાં, ત્યારે તમને એક ચિઠ્ઠી લખી હતી. તમે આ ચિઠ્ઠીની નોંધ સરખી પણ લીધી નથી. જો આગામી 15 દિવસમાં ચિઠ્ઠી મુજબ યોગ્ય જવાબ નહીં મળે, તો તમારો જીવ જોખમમાં મુકાશે." આમ, વિપ્લવકારોએ પોતાની ઝુંબેશ સતત ચાલું જ રાખી અને 27 માર્ચ, 1858 સુધીમાં માત્ર 14 વિપ્લવકારો જ પકડાયા હતાં.

Mudeti Village, Chandap Village, Idar,Sabarkantha District,Gujarat, 1857 revolt and history of Idar,1857 revolt , ચાંડપ, મુડેટી, 1957નો વિપ્લવ અને ચાંડપ,

1 comment: