Tuesday, April 2, 2019

મોદીરાજમાં આ 3 ગુજરાતી સાંસદ ધોયેલા મૂળા સમાન...


તાજેતરમાં ભારતીય સંસદી કાર્યવાહીના આંકડા જાહેર થયાં છે. જેમાં ગુજરાતના સાંસદોને શરમ આવે એવા આંકડા જાહેર થયાં છે. જેમાં લોકસભામાં પશ્નો પૂછી મોદી સરકારનો કાન પકડવામાં ગુજરાતના ત્રણ સાંસદો એવા પણ છે, જેમણે સંસદમાં એક પણ પ્રશ્ન પૂછ્યો નથી.



આવા ધોયેલા મૂળા સમાન સાંસદોમાં વલસાડના સાંસદ ડૉ.સી.કે. પટેલ, ગાંધીનગરથી સાંસદ અને ભાજપના દિગ્ગજ નેતા એલ.કે. અડવાણી અને પોરબંદરના સાંસદ વિઠ્ઠલ રાદડિયા સામેલ છે. જેમણે પોતાના મત-વિસ્તારના માટે એક પણ પ્રશ્ન પૂછ્યો નથી. આ સાંસદોએ પોતાના મત વિસ્તાર વિકાસના કામ એક પણ લોકિહતનો પ્રશ્ન પુછ્યો નથી. લો...બોલો આપણી પાસે એવા પણ નેતાઓ છે, જેમણે જંગી મતોથી જીત મેળવી પણ લોકોના પ્રશ્નોની વાચા તો ક્યાય રહી સંસદના ગૃહમાં એક પ્રશ્ન પણ કર્યો નથી. હવે આવા નેતાઓ ચૂંટીને ગૃહમાં જાય છે. તો ક્યાંથી પ્રજાનું ભલું થશે.

આ ઉપરાંત લોકસભામાં પાંચ વર્ષના કાયકાળ દરિમયાન પ્રશ્નો પૂછવામાં ગુજરાતના સાંસદોમાંથી સૌથી મોખરે અમરેલીના સાંસદ નારણભાઈ કાછડિયા રહ્યાં છે, બીજા ક્રમે જૂનાગઢના સાંસદ રાજેશ ચુડાસમા, ત્રીજા નંબરે છોટાઉદેપુરના રામસિંહ રાઠવા, ચોથા ક્રમે વડોદરાના સાંસદ રંજનબેન ભટ્ટ, પાંચમા નંબરે અમદાવાદ પશ્ચિમના સાંસદ ડૉ. કિરીટ સોલંકી રહ્યાં હતા. 

જાહેર આંકડા મુજબ, બધા સાંસદો પોતાની સંસદીય વિકાસ ગ્રાન્ટ ખર્ચ કરવામાં પાછળ રહ્યાં. જેમાં PM મોદીએ માત્ર 62.96 ટકા ખર્ચ કર્યો, જે બહુ ઓછો કહેવાય, ત્યાં કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કુલ 60.56 ટકા ખર્ચ કર્યો છે. જે પણ ઓછો જ છે. મોદીએ વિવિધ વિકાસ કર્યો માટે વિવિધ મંત્રાલય દ્વારા હજારો કરોડના અનેક મોટાં પ્રોજક્ટ લાગુ કર્યાં, પરંતુ તે સંસદ વિકાસ ગ્રાન્ટ હેઠળ નથી.

No comments:

Post a Comment