ગુજરાત હાઈકોર્ટે હાર્દિકની અરજી ફગાવી દીધી છે. જેથી હાર્દિક પટેલ લોકસભા ચૂંટણી નહીં લડી શકે. છેલ્લા કેટલાક સમયથી અટકળો ચાલતી હતી કે, હાર્દિકનો ચૂંટણી લડવાનો નિર્ણય કોર્ટના ચુકાદા પર રહેલો હતો. જેનો હવે અંત આવી ગયો છે, તો જાણીએ હાર્દિક પર શું છે આરોપ અને હવે હાર્દિક પાસે કયો વિકલ્પ બચ્યો છે?
નોંધનીય છે કે, રાજ્ય સરકારે હાર્દિકને ચૂંટણી લડવાની મંજૂરી ન આપવાની વાત કરતા હાઇકોર્ટમાં લેખિતમાં રજૂઆત કરી હતી. છેલ્લા ત્રણ દિવસથી હાઇકોર્ટમાં રાજ્ય સરકાર અને હાર્દિકના વકીલ વચ્ચે તીખી દલીલો થઇ હતી.
गुजरात हाईकोर्ट के फैसले का स्वागत करता हूं।चुनाव तो आते है जाते हैं लेकिन संविधान के खिलाफ़ भाजपा काम करी हैं। कोंग्रेस पार्टी के पच्चीस साल के कार्यकर्ता को चुनाव लडने से क्यों रोका जा रहा है।भाजपा के बहुत सारे नेताओं पर मुकदमें है, सजा भी हैं। लेकिन कानून सिर्फ हमारे लिए है।— Hardik Patel (@HardikPatel_) March 29, 2019
આ અંગે હાર્દિકે કહ્યું કે, અમે ડરતા નથી. હું સત્ય, અહિંસા અને ઈમાનદારીથી સામાન્ય જનતાનો અવાજ બનીશું. જનતાની સેવા કરનાર કોંગ્રેસ પાર્ટીની સરકાર બનાવીશું. હાર્દિકે કહ્યું કે, હું કોંગ્રેસ પાર્ટી માટે ગુજરાત સહિત સમગ્ર દેશમાં પ્રચાર કરીશ. મારો અપરાધ માત્ર એ જ છે કે, હું ભાજપની આગળ નમ્યો નહીં. સત્તાધારી સામે લડવાનું તો આ પરિણામ છે.
हम डरने वाले नहीं हैं। सत्य, अहिंसा और ईमानदारी से आम जनता की आवाज उठाते रहेंगे। जनता की सेवक कोंग्रेस पार्टी की सरकार बनाएंगे। पार्टी के लिए गुजरात समेत पूरे देश में प्रचार करूंगा। मेरा कसूर सिर्फ इतना है कि मैं भाजपा के सामने झुका नहीं। सत्ता के सामने लडने का यह परिणाम हैं।— Hardik Patel (@HardikPatel_) March 29, 2019
હાર્દિક પર કયો આરોપ?
હાર્દિક વિરુદ્ધ વિસનગરના ધારાસભ્ય ઋશિકેશ પટેલના કાર્યાલયમાં તોડફોડ કરવાનો આરોપ છે. આ કેસમાં વિસનગર કોર્ટે હાર્દિકને દોષી ગણીને 2 વર્ષ કેદની સજા ફટકારી છે. કોર્ટે 17 આરોપીમાંથી 3 લોકોને દોષિત જાહેર કર્યા છે, ત્યાં 14 લોકોને આરોપ મુક્ત કરવામાં આવ્યાં છે. કોર્ટે પોતાના ચુકાદામાં નોંધ્યું કે, હાર્દિક વિરૂદ્ધ અનેક પોલીસ સ્ટેશનમાં ઘણી બધી ફરિયાદો નોંધાઈ છે. મહત્વનું છે કે, કોર્ટને આપેલી બાંહેધરી બાદ પણ હાર્દિક વિરુદ્ધ 17 કેસ નોંધાયા છે.
2015માં એક હિંસાના કેસમાં હાર્દિક પટેલ ઉપરાંત લાલજી પટેલને પણ દોષિત ગણવામાં આવ્યાં છે. મહેસાણાની વિસનગર કોર્ટમાં હાર્દિક અને લાલજી પટેલને દોષિત ઠરાવવામાં આવ્યાં હતાં. મહત્વનું છે કે, 2015માં ભાજપના ધારાસભ્ય ઋશિકેશ પટેલના કાર્યાલય પર હુમલો થયો હતો.
શું કહે છે કાયદો?
જનપ્રતિનિધિ કાનૂન-1951 મુજબ, દોષિત નેતાઓને ચૂંટણી લડવા માટેનો કાયદો પહેલાથી જ અસ્તિત્વમાં છે, જેમાં સજા થયાં બાદ 6 વર્ષ સુધી દાગી નેતાઓ ચૂંટણી ન લડી શકે. આ જ કાયદાને કારણે ચારા કૌભાંડમાં દોષી અને જેલમાં સજા ભોગવી રહેલા લાલુ પ્રસાદ યાદવ પર ચૂંટણી લડવાની રોક છે.
હાર્દિક પાસે કયો વિકલ્પ?
પાટીદાર અનામત આંદોલનમાંથી નેતા તરીકે ઉભરી આવનાર હાર્દિક તાજેતરમાં જ કોંગ્રેસમાં જોડાયો હતો. જે હવે આગામી લોકસભા ચૂંટણી લડી શકશે નહીં. હાઈકોર્ટે હાર્દિક પટેલની સજા પર સ્ટે મૂકવાની મનાઈ કરી દીધી છે. જેના કારણે હાર્દિક પટેલ હવે ચૂંટણી લડી શકશે નહીં. જોકે હાર્દિક પટેલ પાસે એક મોટો વિકલ્ય સુપ્રીમ કોર્ટ છે. હાર્દિક આ બાબતે સુપ્રીમ કોર્ટમાં જઈ શકે છે. જો કે સુપ્રીમ કોર્ટનો ચુકાદો આવ્યા બાદ જ ખબર પડે કે હાર્દિક પટેલ લોકસભા ચૂંટણી લડી શકે છે કે નહીં. એક વાતનું ધ્યાન રહે કે, જો હાર્દિક સુપ્રીમમાં જાય તો ઉમેદવારી પત્ર ભરવાની છેલ્લી તારીખ પહેલા સુપ્રીમ ચુકાદો આપે તો જ હાર્દિક ચૂંટણી લડી શકશે.
હાઇકોર્ટે હાર્દિકની સજા પર સ્ટે મૂકવાની અરજી ફગાવી દીધી છે. જેમાં કોર્ટે અવલોકન કર્યું કે, હાર્દિકના વકીલે પુરાવા નહીં હોવાની વાત કરી છે, તે સ્વીકારી શકાય નહીં.
No comments:
Post a Comment