Saturday, March 9, 2019

એક સાંધે ત્યાં તેર તૂટેે, કોંગ્રેસે પોતાના જ પગે કુહાડી મારી

ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી હોય કે રાજ્યસભાની કે પછી લોકસભાની. ઉમેદવારોની પસંદગી થાય એટલે દર વખતે પાર્ટીના કાર્યકર્તાઓનું મનોબળ તૂટે છે અને સંગઠનમાં મોટા ગાબડા પડતા હોય છે, જ્યારે 2017માં વિધાનસભાની ચૂંટણી હતી, ત્યારે કોંગ્રેસમાં ઉમેદવાર પસંદગી વખતે દિગ્ગજ નેતાઓ નારાજ થયાં હતાં, ત્યારબાદ જ્યારે રાજ્યસભાના ઉમેદવારોની પસંદગી થઈ ત્યારે પણ કોંગ્રેસના ધારાસભ્યો તૂટ્યા હતાં. જેથી કોંગ્રેસને પોતાના ઉમેદવારોને બેંગલુરૂમાં લઈ જવા પડ્યા, આ બાબતે ગુજરાતની જનતામાં કોંગ્રેસની મોટી મજાક બની ગઈ. 


જ્યારે કોંગ્રેસ હાઈકમાન્ડે રાજ્યસભાનાં ઉમેદવાર જાહેર કર્યા, ત્યારે 2 ઉમેદવારની પસંદગી પાછળ પ્રદેશ કોંગ્રેસના 5 નેતાના મનબોળ તૂટી ગયાં. જેના પરિણામ સ્વરૂપ કોંગ્રેસમાં કકરાટ વધ્યો અને કાયમી ધોરણે જોવા મળ્યો. અમી યાજ્ઞિકનો મહિલા કોંગ્રેસે જ વિરોધ કર્યો, તો નારણ રાઠવાં પોતાના ડોક્યુમેન્ટ પુરા ન કરી શકતાં ચર્ચામાં રહ્યાં, આ બધાની વચ્ચે બંને નામની પસંદગી પ્રદેશ કોંગ્રેસનાં દિગ્ગજ નેતાઓની ગળાની ગાંઠ બની. કારણ કે રાજ્યસભાના ઉમેદવારોની પસંદગી મુદ્દે ગુજરાત કોંગ્રેસના દિગ્ગજ નેતા ભરતસિંહ, શક્તિસિંહ, મોઢવાડિયા, સિદ્ધાર્થ પટેલ, તુષાર ચૌધરી સહિતના એક પણ સિનીયર નેતાની વાત દિલ્હીમાં બેઠેલી હાઈકમાન્ડે ન સાંભળી. જેથી નારાજગીનો દોર શરૂ થયો.

વાત કરીએ 2017ની વિધાનસભાની તો આ ચૂંટણીમાં કોંગ્રેસના મોટા નેતા શક્તિસિંહ, મોઢવાડિયા, સિદ્ધાર્થ પટેલ, તુષાર ચૌઘરી પોતાની બેઠક પણ બચાવી ન શક્યાં, જેથી ભરતસિંહ સહિત બધાને રાજ્યસભામાં જવાના અભરખાં રહ્યાં, પરતું હાઈકમાન્ડે તેમને ગણકાર્યાં નહીં. આવા સંજોગોમાં નુકસાન તો કોંગ્રેસને જ થયું. કહેવાય છે કે, વિધાનસભાની ચૂંટણી વખતે કોંગ્રેસે યુવા નેતૃત્વ પર ધ્યાન આપી મોટાં નેતાઓને નજરઅંદાજ કર્યાં. જેથી મનદુઃખીયા નેતાઓ એક પછી એક પાર્ટી છોડતા ગયાં. જેની શરૂઆત બાપુથી થઈ. 

તમને યાદ હશે શંકરસિંહે જ્યારે કોંગ્રેસ છોડી ત્યારે પોતાની હૈયાવાળ જણાવી હતી અને કહ્યું હતું કે, મેં તો પાર્ટીને સાંભળી પણ પાર્ટી મને ન સાંભળ્યો. બાપુના ગયાં પછી કેટલાય રાજકીય વિશ્લેષકોનો મત હતો કે, બાપુના જવાથી કોંગ્રેસને મોટું નુકસાન થશે. કદાચ આ મત આજે સાર્થક થતો દેખાય છે. આ બધાની વચ્ચે એવું પણ બન્યું કે, કેટલાય કોંગી નેતાઓ ભાજપમાં જોડાઈ નાખુશ થયાં, વળી પાછા કોંગ્રસમાં આવી પણ ગયાં. કેમકે, સત્તા લાલચું ભાજપે વિધાનસભાથી માંડી છેક અત્યારે લોકસભા સુધી કાવાદાવા, ખરીદ-ફરોકની હલકી રાજનીતિ કરી નારાજ નેતાઓને લાંલચ આપી ખેંચી લીધા, પરંતુ હાલ એ બધા જ નેતાઓ ક્યાં છે? નાના પદો સંભાંળી રહ્યાં છે. 

ભાજપમાં જેડાનાર કોંગી નેતાની વાત કરીએ તો સૌથી પહેલા 2012ની વિધાનસભા ચૂંટણીમાં નરહરી અમિન ભાજપમાં જોડાયા કે, તરત જ ગુજરાત ક્રિકેટમાં પદ આપી દીધું, રાજ્યસભા વખતે બળવંતસિંહ જોડાયા તો GIDCમાં પદ આપી દીધું. કોંગ્રેસના પક્ષપલટું નેતાઓની કોણીએ ભાજપે એવો ગોળ ચોટાડ્યો કે, એ લોકો હાથ ઉંચો પણ ન કરી શકે કે ગોળનો સ્વાદ ચાખી પણ ન શકે. ભાજપે કોંગી નેતાઓને એવા એવા પદ આપી દીધા કે, પેટ તો દુઃખે પણ કોને કહેવા જવું? એવી હાલત સર્જાઈ.  

જો કે, નરેન્દ્ર મોદીએ ભારતને કોંગ્રેસમુક્ત કરવાનો નારો તો આપ્યો, પણ ગુજરાત ભાજપ હવે પોતે જ કોંગ્રેસયુક્ત બની ગઈ છે. દિવ્ય ભાસ્કરની રિપાર્ટ મુજબ, 2007થી લઈ આજદિન સુધીમાં કોંગ્રેસના  35 MLA અને MPએ ભાજપનો ખેસ ધારણ કર્યો છે. જેથી ભાજપનું જ કોંગ્રેસીકરણ થઈ ગયું છે. છેલ્લા 12 વર્ષમાં 35 કોંગી દિગ્ગજ નેતા ભાજપમાં બેઠાં. જેમાં માત્ર 17ને નાના-મોટા હોદ્દા મળ્યા, જ્યારેથી 18 નેતાઓ હજુય સત્તા માટે ભાજપના મોવડી મંડળ પાછળ લટકી રહ્યા છે. 

No comments:

Post a Comment