પુલવામામાં આતંકી હુમલામાં 40થી પણ વધુ જવાનો શહીદ થયા છે. જે બાદ આ અંગે ઘણી પ્રતિક્રિયાઓ સામે આવી છે. આ હુમલાને લઈ સમગ્ર દેશમાં ગુસ્સો છે, લોકો પાકિસ્તાનને જડબાતોડ જવાબ આપનાવી વાત કરી રહ્યાં છે.
બૉલિવૂડના જાણીતા સિંગર સોનુ નિગમે આતંકી હુમલા બાદ કોઇનું નામ લીધા વગર કટાક્ષ માર્યો હતો. સોનુ નિગમે પ્રહાર કરતાં કહ્યું કે, તમે શા માટે અફસોસ વ્યક્ત કરી રહ્યા છો? તમે તો ભારત તારા ટૂકડા થશે, જેવી વિચારધારા રાખનારા લોકો છો. સોનુ નિગમના આ આકરા પ્રહારો બૉલિવુડના એ સેલેબ્રિટિઝ પર છે, જેમણે આતંકીઓને ફાંસી મુદ્દે માનવાધિકારની વાત કરી હતી. જુઓ વીડિયો...
મહત્વનું છે કે, આવું કહીં સોનું નિગમ એ લોકો પર કટાક્ષ કરી રહ્યાં છે. જેમણે અફઝલ ગુરુને ફાંસી આપવા પર વિરોધ કર્યો હતો. કહેવાય છે કે, JNUમાં ભારત વિરોધી નારા લાગ્યાં હતાં. જેમાં કેટલાક લોકોએ સેક્યુલરશાહીની વાત પણ કરી હતી. સોનુ આ વિચારોથી હું સહેમત છું. કારણ કે, જ્યારે આવા હુમલા થાય છે, ત્યારે સમગ્ર દેશમાં ગુસ્સો જોવા મળે છે. સરકાર પણ આતંકવાદ વિરૂદ્ધ પગલાં લેવા તૈયાર થતી હોય છે, પરંતુ આ સંજાગોમાં જ કહેવાતા માનવાધિકારીઓને આતંકીઓનો જાણે સાથ આપતા હોય એમ માનવઅધિકારની વાતો કરવા લાગે છે. હું આવા માનવાધિકારીઓને નમ્ર વિનંતી કરુ છું કે, હવે કોઈ આતંકીને ફાંસીની સજા થાય તો મહેબાની કરી તેને શહીદ જાહેર ન કરતા.
તમે કઈ સેક્યુલર વિચારધારાની વાત કરો છો? શું વંદે માતરમ, ભારમાતા કી જય બોલવું એ સેક્યુલરશહીમાં નથી આવતું. શહીદોની શહાદત પર આમ દુઃખ વ્યક્ત કરવાનું બંધ કરો. કેમકે તમારા મોંઢે એ શોભતું નથી. મહેબાની કરી શહીદ પરિવારોનું તો વિચોરો... આ એજ ભારત દેશ છે, જેમાં એક માતા પોતાના દિકરાને દેશની રક્ષા કરવા માટે સરહદ પર મોકલે છે, જ્યારે AC ઓફિસમાં બેસીને અસહિષ્ણુતાની વાતો થાય છે. દેશમાં હાલનો માહોલ ગુસ્સાભર્યો છે. સમગ્ર દેશ આતંકી વિરુદ્ધ જંગ લડવાની વાત કરી રહ્યો છે.
જ્યારે અફઝલ ગુરુને ફાંસી આપવામાં આવી ત્યારે કેટલાક કહેવાતા માનવાધિકારીઓએ ભારત વિરૂદ્ધના નારા લગાવ્યાં હતાં. મારે એ માનવાધિકારીઓને એટલું જ કહેવું છે કે, જ્યારે એ આતંકીએ જે હુમલાને અંજામ આપ્યો હતો, એ બર્બતા તમને યાદ તો છેને. સરકાર આતંકી વિરોધી કાર્યવાહી ન કરે ત્યાં તમે ઝંડા લઈને આવી જાઓ છો, જ્યારે સરકાર કાર્યવાહી કરે કે તરત જ માનવતાની વાતો કરવા આવી મેદાનમાં ઉતરો છો.
પહેલા દેશભક્તિને નામે ખોટી નામના મેળવવા મેદાનમાં આવશો અને વળી પાછા માનવઅધિકારની વાતો કરવા. તમે કઈ સહિષ્ણુતાની વાત કરો છો? આતંકીઓના કાળાં કૃત્યો છૂપાવવાની કે પછી તમારી બૌદ્ધિકતાની. સહિષ્ણુતા તો એ છે જ્યાં કાશ્મીરમાં આટલા પથ્થરમારા છતાં સેનાએ કોઈ કડક કાર્યવાહી નથી કરી. સહિષ્ણુતા એ છે જ્યાં તમારા જેવા લોકો આતંકીને શહીદ જાહેર કરે ત્યારે શહીદ પરિવારો તમને સહન કરે છે. એટલે મહેરબાની કરી ACમાં બેસી માનવઅધિકારની વાતો કરવાનું બંધ કરો, ખરેખર તમને થોડી પણ શરમ નથી?
માનવઅધિકારની વાતો કરતા પહેલા શું કુલભૂષણ યાદવની યાદ આવી? એક ભારતીય કેટલાય વર્ષોથી ન્યાય માંગી રહ્યો છે, ક્યારેય કુલભૂષણ મુદ્દે માનવઅધિકારની વાત કરી ખરી? 2016માં કુલભૂષણ જાધવને પાકિસ્તાને પકડ્યો હતો અને જાસૂસીનો આરોપ મૂક્યો હતો. ઓછામાં પુરું 2017માં ફાંસીની સજા પણ જાહેર કરી હતી. આ સજાને રોકવા માટે ભારતે ICJમાં અરજી કરી હતી, તમે ક્યારેય જાધવની ફાંસી અટકાવવા વાત કરી ખરી.
કુલભૂષણ જાધવ મુદ્દે પાકિસ્તાને વિયેના સંધિનું ઉલ્લંઘન કર્યું અને જાદવને સલાહકાર ન રાખવા દીધો, તો અહીં જાદવના માનવીય અધિકારોનો ભંગ થયો. તમે ક્યારેય આ અંગે વિરોધ કર્યો ખરો? 2017માં કુલભૂષણનો પરિવાર પાકિસ્તાન મળવા ગયો, ત્યારે જાદવ પરિવાર પર ત્રાસ ગુજારવામાં આવ્યો. જાદવ સાથેની વાતચીત દરમિયાન CCTVથી દેખરેખ રખાઈ, બહુ જ ગંદી રીતે જાદવ પરિવારની તપાસ કરાઈ. અતે કહાવાતા માનવાધિકારીઓને એટલું કહેવું છે કે, આ બધુ થયું ત્યારે ક્યાં ગઈ હતી તમારી માનવતા? ક્યારેય તમે જાદવ અંગે પાકિસ્તાન વિરોધી બોલ્યા છો ખરા? જો 'ના' તો ભારત વિરોધી બોલવાનો પણ તમને કોઈ જ આધિકાર નથી.
Oho....
ReplyDelete