કાશ્મીરના વરિષ્ઠ પત્રકાર અને 'રાઇઝિંગ કાશ્મીર' ન્યૂઝપેપરના સંપાદક શુજાત બુખારીની શ્રીનગરમાં ગોળી મારી હત્યા કરી દેવામાં આવી છે. શુજાત બુખારી પોતાની ઓફિસથી પ્રેસ કોલોનીની ઇફ્તાર પાર્ટીમાં જઇ રહ્યાં હતા, ત્યારે કેટલાંક શખ્સોએ શુજાત પર ફાયરિંગ કર્યું હતું. જેમાં તેમનું મોત થયું હતું.
![]() |
Screenshot: @risingkashmir |
લોકશાહી વિશે વાત કરતા શુજાત બુખારી કહેતા કે, "લોકશાહી વ્યવસ્થામાં મીડિયાને દુશ્મન તરીકે ન જોવું જોઈએ, જો આમ થયું તો લોકશાહી નબળી પડી જશે." શુજાત 'બુલંદ કાશ્મીર' નામનું એક ઉર્દૂ અખબાર પણ ચલાવતા હતાં.
શુજાત બુખારી શ્રીનગરના વરિષ્ઠ પત્રકાર હતાં. શુજાત કાશ્મીર ખીણ પ્રદેશના ખાસ વિશેષજ્ઞ તરીકે જાણીતા હતાં. શુજાતે દુનિયાના ઘણાં પ્રતિષ્ઠિત મીડિયા હાઉસ માટે કોલમ લખી હતી. તાજેતરમાં તેઓ શ્રીનગરના 'રાઇઝિંગ કાશ્મીર' ન્યૂઝપેપરના તંત્રી હતાં. નીડર પત્રકાર શુજાતે 'કાશ્મીર ટાઇમ્સ'થી પોતાના પત્રકારત્વની શરૂઆત કરી હતી. 90ના દાયકામાં તેઓ 'ધ હિન્દૂ' સાથે જોડાયા હતાં. તે દરમિયાન કેટલાંય ખાસ સમાચારોને લીધે તેમને રાષ્ટ્રીય જ નહીં આંતરરાષ્ટ્રીય સ્તરે મોટી નામના મળી હતી.
શુજાતે સતત 15 વર્ષ સુધી 'ધ હિન્દૂ'ના કાશ્મીર બ્યૂરો ચીફ તરીકે કામ કર્યું હતું. કહેવાય છે કે, બુખારી કાશ્મીરમાં બનતી દરેક ઘટના પર ગ્રાઉન્ડ રિપોટિંગ કરતાં હતા. બુખારીનું આ રિપોટિંગ દેશના ખાસ પત્રકારો ચોક્કસપણે જોતા હતાં. આવા રિપોટિંગને લીધે જ તેઓ સતત આંતકીઓનો ટાર્ગેટ બન્યાં હતા. શુજાતની સુરક્ષાને ધ્યાનમાં રાખી જમ્મુ-કાશ્મીર પોલીસે તેમને પર્સનલ સિક્યુરિટી ઓફિસર્સ હેઠળ સુરક્ષા આપી હતી.
શુજાત પર આ અગાઉ પણ ત્રણેકવાર હુમલા થઇ ચુક્યાં હતા. વર્ષ 2000માં એક હુમલો હતો. શુજાતના ન્યૂઝ પેપર 'રાઇઝિંગ કાશ્મીર'ને ધણી વખત સેન્સરશિપનો સામનો કરવો પડ્યો હતો. વર્ષ 2010માં 10 દિવસ માટે 'રાઇઝિંગ કાશ્મીર'નું પ્રકાશન કામ બંધ રહ્યું હતું. આ સિવાય વર્ષ 2008માં પણ અખબારના પ્રકાશન કામ પર રોક લગાવામાં આવી હતી. વર્ષ 2013માં ભારતીય સંસદ પર હુમલો થયો હતો. જેમાં ગુનેગાર સાબિત થનાર અફઝલ ગુરૂને ફાંસી આપવામાં આવી હતી. તે સમયે 'રાઇઝિંગ કાશ્મીર'ની નકલો જપ્ત કરવામાં આવી હતી અને 4 દિવસ સુધી અખબારનું પ્રકાશન બંધ રહ્યું હતું. છેલ્લે વર્ષ 2016માં આતંકી બુરહાન વાનીને જ્યારે ઠાર મારવામાં આવ્યો, ત્યારે 'ઉશ્કેરણીજનક લખાણ' બદલ ફરી એકવાર 'રાઇઝિંગ કાશ્મીર'ની ઓફિસ પર રેડ કરી પત્રનું પ્રકાશન અટકાવામાં આવ્યું હતું.
તેઓ કાશ્મીર ખીણની સૌથી જૂની સાહિત્ય સંસ્થા 'અદબી મરકઝ કમરાઝ'ના અધ્યક્ષ પણ હતા. બુખારીએ મનીલા યૂનિવર્સિટીમાંથી પત્રકારત્વમાં MAની ડિગ્રી મળેવી હતી. બુખારીના પત્રકારત્વમાં પત્રકારત્વ સિવાયની એક ખાસ બાબત એ હતી કે, શુજાત કાશ્મીરના ખીણ પ્રદેશમાં પુનઃશાંતિ માટે સતત સક્રિય હતાં. ટ્રેક ટૂ ડિપ્લોમેસી હેઠળ શુજાત પાકિસ્તાન સાથેની વાતચીત માટે ભારતીય પ્રતિનિધિઓનો હિસ્સો પણ બની ચુક્યાં છે. 48 વર્ષીય શુજાત પર આ અગાઉ ત્રણ વખત જીવલેણ હુમલા થયાં હતાં.
No comments:
Post a Comment