(Kumaraswamy) કર્ણાટક વિધાનસભાની ચૂંટણીના પરિણામમાં અવ-નવા બદલાવો આવી રહ્યાં છે, ત્યારે કર્ણાટકમાં કોઈ પણ પક્ષને બહુમતી ન મળતા અને સરકાર બનાવવા તરફ વધી રહેલા ભાજપને રોકવા કોંગ્રેસે જેડીએસને સમર્થન આપ્યું છે. કોંગ્રેસે જેડીએસ સાથે ગઠબંધન જેડીએસના પ્રદેશ અધ્યક્ષ એચ ડી કુમારસ્વામીને મુખ્યપ્રધાન બનાવવાનો પ્રસ્તાવ રાખ્યો છે. જો નવા મુખ્યપ્રધાન તરીકે કુમારસ્વામી નક્કી થશે, તો કર્ણાટકમાં બે દિગ્ગજ નેતાઓ જે પૈકી સિદ્ધારમૈયા અને યેદિયુરપ્પાને પાછળ છોડી કુમારસ્વામી કર્ણાટકના નવા મુખ્યપ્રધાન બનશે.
![]() |
તસવીરઃ- Google Photo |
જાણો કોણ છે કુમારસ્વામી?
કર્ણાટકની ચૂંટણીમાં કિંગ મેકરની ભૂમિકા ભજવનાર કુમારસ્વામી જેડીએસના દિગ્ગજ નેતા અને ભારતના પૂર્વ વડાપ્રધાન એચડી દેવગોડાના પુત્ર છે. કર્ણાટકમાં કુમારસ્વામીને 'કુમારાન્ના'ના હુલામણા નામથી ઓળખવામાં આવે છે. કુમારસ્વામીએ બેંગાલુરુની નેશનલ કોલેજમાંથી B.Scનો અભ્યાસ કર્યો છે. હાલમાં કુમારસ્વામી પોતાના પિતાની પાર્ટી જેડીએસના પ્રદેશ અધ્યક્ષ છે.
કુમારસ્વામી રામનગરમમાંથી ત્રણ વખત ધારાસભ્ય તરીકે પણ ચૂંટણાઈ આવ્યાં છે. આ વખતે પણ કુમારસ્વામીએ બે વિધાનસભા બેઠક પૈકી રામનગરમ અને ચન્નાપટનાથી ચૂંટણી લડી હતી. કુમારસ્વામી પાસે 42 કરોડ 91 લાખ રૂપિયા જેટલી સંપત્તિ છે. કર્ણાટક વિધાનસભાની ચૂંટણીમાં એચડી કુમારસ્વામી સૌથી અમીર ઉમેદવાર હતા.
અત્રે નોંધનીય છે કે, જેડીએસ નેતા એચડી કુમારસ્વામી આ પહેલા પણ મુખ્યપ્રધાન બની ચૂક્યા છે. તે વખતે તેઓએ ભાજપનો ટેકો લીધો હતો, પરંતુ હવે કોંગ્રેસના સમર્થનથી ફરી એકવાર કર્ણાટકના મુખ્યપ્રધાન બની શકે છે. ચૂંટણી દરમિયાન વારંવાર ચર્ચાઓ થતી હતી કે, તેઓ કિંગમેકરની ભૂમિકા ભજવી શકે છે. કર્ણાટકના મૈસુર વિસ્તારમાં કુમારસ્વામીની રાજકીય પકડ ખૂબ મજબૂત હોવાનું માનવામાં આવે છે. તેઓને કર્ણાટકના મૈસુર, હાસન, મંડ્યા, તુમકુરૂ અને રાજધાની બેંગલુરૂની સરહદના વિસ્તારોમાં ખુબ જ મજબૂત નેતા માનવામાં આવે છે. કુમારસ્વામીના પત્ની રાધિકા પણ રાજકારણમાં સક્રિય છે.
કુમારસ્વામી રામનગરમમાંથી ત્રણ વખત ધારાસભ્ય તરીકે પણ ચૂંટણાઈ આવ્યાં છે. આ વખતે પણ કુમારસ્વામીએ બે વિધાનસભા બેઠક પૈકી રામનગરમ અને ચન્નાપટનાથી ચૂંટણી લડી હતી. કુમારસ્વામી પાસે 42 કરોડ 91 લાખ રૂપિયા જેટલી સંપત્તિ છે. કર્ણાટક વિધાનસભાની ચૂંટણીમાં એચડી કુમારસ્વામી સૌથી અમીર ઉમેદવાર હતા.
અત્રે નોંધનીય છે કે, જેડીએસ નેતા એચડી કુમારસ્વામી આ પહેલા પણ મુખ્યપ્રધાન બની ચૂક્યા છે. તે વખતે તેઓએ ભાજપનો ટેકો લીધો હતો, પરંતુ હવે કોંગ્રેસના સમર્થનથી ફરી એકવાર કર્ણાટકના મુખ્યપ્રધાન બની શકે છે. ચૂંટણી દરમિયાન વારંવાર ચર્ચાઓ થતી હતી કે, તેઓ કિંગમેકરની ભૂમિકા ભજવી શકે છે. કર્ણાટકના મૈસુર વિસ્તારમાં કુમારસ્વામીની રાજકીય પકડ ખૂબ મજબૂત હોવાનું માનવામાં આવે છે. તેઓને કર્ણાટકના મૈસુર, હાસન, મંડ્યા, તુમકુરૂ અને રાજધાની બેંગલુરૂની સરહદના વિસ્તારોમાં ખુબ જ મજબૂત નેતા માનવામાં આવે છે. કુમારસ્વામીના પત્ની રાધિકા પણ રાજકારણમાં સક્રિય છે.
![]() |
તસવીરઃ- Google Photo |
રાજકારણમાં કોઈ પોતાનું કે પરાયું હોતુ નથી, એમ કુમારાસ્વામીએ પણ સત્તા મેળવવા માટે પોતાના પિતા વિરૂદ્ધ ગયા હતા. તે વખતે કારણ હતું, તેઓએ પિતાના સાથી પક્ષ કોંગ્રેસનું સમર્થન કરવાને બદલે ભાજપ સાથે હાથ મિલાવી કર્ણાટકના CM બન્યાં હતાં.
એક રાજકીય પૃષ્ઠભૂમિ હોવાથી ફાયદો
કુમારસ્વામી પાસે રાજકીય પૃષ્ઠભૂમિ હોવાથી તેઓ મજબૂત નેતા છે. ઉપરાંત પિતા એચડી દેવગૌડા દેશના ભૂતપૂર્વ વડાપ્રધાન રહી ચૂક્યાં છે. દેવગૌડા 40 હજાર મતથી રામનગરમાં છેલ્લી ચૂંટણી પણ જીતી ચૂક્યાં છે. આ સિવાય કુમારસ્વામીએ બહુમત વગર મુખ્યપ્રધાનની ખુરશી પર બિરાજી ચૂક્યાં છે.
કર્ણાટક રાજ્યની 224 બેઠકોની વિધાસનભામાં 222 બેઠક પર 12 મેના રોજ 72.13 ટકા મતદાન થયું હતું. જેમાં આર.આર. નગર સીટથી ચૂંટણીમાં ગોટાળાની ફરિયાદ બાદ મતદાન રોકી દેવામાં આવ્યું હતું. આ સિવાય જયનગર બેઠક પર ભાજપના ઉમેદવારનું નિધન થવાને કારણે મતદાન રદ કરવામાં આવ્યું હતું.
એક રાજકીય પૃષ્ઠભૂમિ હોવાથી ફાયદો
કુમારસ્વામી પાસે રાજકીય પૃષ્ઠભૂમિ હોવાથી તેઓ મજબૂત નેતા છે. ઉપરાંત પિતા એચડી દેવગૌડા દેશના ભૂતપૂર્વ વડાપ્રધાન રહી ચૂક્યાં છે. દેવગૌડા 40 હજાર મતથી રામનગરમાં છેલ્લી ચૂંટણી પણ જીતી ચૂક્યાં છે. આ સિવાય કુમારસ્વામીએ બહુમત વગર મુખ્યપ્રધાનની ખુરશી પર બિરાજી ચૂક્યાં છે.
કર્ણાટક રાજ્યની 224 બેઠકોની વિધાસનભામાં 222 બેઠક પર 12 મેના રોજ 72.13 ટકા મતદાન થયું હતું. જેમાં આર.આર. નગર સીટથી ચૂંટણીમાં ગોટાળાની ફરિયાદ બાદ મતદાન રોકી દેવામાં આવ્યું હતું. આ સિવાય જયનગર બેઠક પર ભાજપના ઉમેદવારનું નિધન થવાને કારણે મતદાન રદ કરવામાં આવ્યું હતું.
No comments:
Post a Comment