Friday, April 6, 2018

ફર્સ્ટ લેડી ઓફ ધ લેન્સ....

હોમાઈ વ્યારાવાલાનું નામ આવે ત્યારે સૌપ્રથમ પત્રકારત્વમાં ફોટોગ્રાફનું મહત્વ યાદ આવે. આવા જ ફોટો એક પ્રથમ મહિલા ફોટો પત્રકાર હોવાઈ વ્યારાવાલાનું નામ એક આગવી ઓળખ આપી જાય છે.

તસવીરઃ Google Photo

ભારતના સ્વાતંત્ર્ય-સંગ્રામમાં અને તે પછીના સમયમાં હોમાઈએ પાડેલા કેટલાંક ફોટોગ્રાફ આઝાદીની ઝાંખી કરાવે છે. હોમાઈ પાસે પોતે પાડેલી કેટલીક અદ્ભૂત તસવીરોનો અનોખો ખજોનો છે. જેમાં ખાસ સ્વતંત્રતા પ્રપ્તિની મધ્યરાત્રિ દરમિયાન થયેલા કાર્યક્રમોની તસવીરો છે. આ તસવીરોમાં સ્વતંત્ર ભારતનું પ્રથમ પ્રવચન આપતા જવાહરલાલ નહેરૂની તસવીરો સૌથી વધુ યાદગાર છે. આ સિવાય નહેરુથી લઈને માઉન્ટબેટન અને દલાઈ લામાનો ભારતમાં પ્રવેશ થયો. તેની પણ અનેક યાદગાર તસવીરો તેઓએ ખેંચી છે.

હોમાઈ અર્થશાત્રમાં BA થયા અને તેમણે પેન્ટિંગનો પણ અભ્યાસ કર્યો. માણેકશા વ્યારાવાલાના પરિચયમાં આવ્યા બાદ હોમાઈને ફોટોગ્રાફીનો શોખ લાગ્યો હતો. તેમની સૌપ્રથમ તસવીર "બૉમ્બે કૉનિકલ"માં છપાઈ હતી. આ તસવીર માટે હોમાઈને એક રૂપિયાનો પુરસ્કાર પણ મળેલો.

હોમાઈની તસવીરોમાં ખાસ તરવીરો બીજા વિશ્વ યુદ્ધની છે. જેમાં હોમાઈએ મુંબઈના ખૂણ-ખૂણે ફરીને પોતાની જાનના જોખમે કેટલીક તસવીરો લીધી છે. જે બીજા વિશ્વ યુદ્ધમાં ભારતની સ્થિતિની એક ઓળખ આપી જાય છે. એક મહિલા ફોટોગ્રાફરને તસવીરો લેતા જોઈ લોકોને કુતૂહલ થતું હતું, માટે લોકો કહેતા કે, આ સ્ત્રી હોવા છતાં ફોટોગ્રાફીનું કામ કરી રહી છે. પોતાના પેન્ટિંગના શોખ વિશે તેઓ કહેતા કે, "એ જમાનામાં વીજળી ન હોવાથી હું સૂવાના પલંગ નીચે ઘૂસી ગોદડાની આડાશ કરીને ડાર્કરૂમ બનાવતી હતી અને સ્લાઈડ સાફ કરતી હતી." 
 
તસવીરઃ Google Photo
 
 
હોમાઈના 104મા જન્મદિને ગુગલે ખાસ અંદાજમાં એક ડુડલ બનાવીને શ્રદ્ધાંજલિ આપી હતી. જેમાં ગુગલે તેમને ફર્સ્ટ લેડી ઓફ ધ લેન્સનું નામ આપી સન્માન કર્યું હતું. સબીના ગડીહોકે પોતાના પુસ્તક 'ઈન્ડિયા ઈન ફોકસ કેમેરા ક્રોનિકલ ઓફ હોમાઈ વ્યારાવાલા'માં હોમાઈની ફોટોગ્રાફીની કારકિર્દી અંગે વાત કરી છે.

હોમાઈ વ્યારાવાલનો જન્મ 9 ડિસેમ્બર, 1913ના રોજ ગુજરાતના નવસારીમાં એક મધ્યમવર્ગીય પરિવારમાં થયો હતો. તેમના પિતા પારસી-ઉર્દૂ થિયેટરના જાણીતા અભિનેતા હતા. પ્રાથમિક શિક્ષણ લીધા બાદ તેમણે બોમ્બે યુનિવર્સિટી અને સર જે જે સ્કૂલ ઓફ આર્ટમાં શિક્ષણ મેળવ્યું. અભ્યાસ પૂર્ણ થયા બાદ તેમણે મુંબઈના એક દૈનિક માટે ફોટો ખેંચવાનું શરૂ કર્યું અને બાદમાં આ જ ક્ષેત્રને પ્રોફેશન તરીકે પસંદ કર્યું. વર્ષ 1942માં બીજા વિશ્વ યુદ્ધ દરમિયાન વ્યારાવાલાએ બ્રિટિશ ઈન્ફોર્મેશન સર્વિસમાં નોકરી કરી હતી.
 
તસવીરઃ Google Photo
 
મુંબઈના ‘The Illustrated Weekly of India’ મેગેઝિન માટે કામ કરતી વખતે હોમાઈ વ્યારાવાલા દ્વારા ખેંચવામાં આવેલી બ્લેક એન્ડ વ્હાઇટ તસવીરો ખૂબ જાણીતી થઈ હતી. હોમાઇ વ્યારાવાલાએ ઓગસ્ટ 1947ના રોજ લાલ કિલ્લા પર પ્રથમ વખત ફરકાવવામાં આવેલો ત્રિરંગો, મહાત્મા ગાંધી, જવાહરલાલ નેહરુ અને લાલ બહાદુર શાસ્ત્રીની અંતિમ યાત્રાની તસવીરો પણ તેમના કેમેરામાં કેદ કરી હતી. વર્ષ 1970માં હોમાઈએ પોતાના પતિના નિધન બાદ ફોટોગ્રાફી છોડી દીધી હતી, પરંતુ તેમણે 40 વર્ષ સુધી ફોટોગ્રાફી ચાલુ રાખી હતી. 2010માં ભારત સરકારે તેમને પદ્મ વિભૂષણથી સન્માનિત કર્યા. 15 જાન્યુઆરી, 2012ના રોજ તેમનું અવસાન થયું. 
 
તસવીરઃ Google Photo
 
હોમાઈ ફેફસાંના ઈન્ફેક્શનની બીમારીથી પીડાતાં હતાં. વર્ષ 1913માં નવસારીમાં જન્મેલાં હોમાઈ વ્યારાવાલાએ વર્ષો સુધી વડોદરામાં એકાકી જીવન ગુજાર્યું હતું. અત્રે નોંધનીય છે કે, 98 વર્ષની વયે પણ તેમનામાં અદ્ભૂત શક્તિ હતી. આટલી મોટી ઉમંરે પણ તેઓ ઘરના તમામ કામ જાતે જ કરતા હતા. હોમાઈ વ્યારાવાલાએ જીવન દરમિયાન પાડેલા તમામ ફોટોગ્રાફ્સ નવી દિલ્હીના અલકાઝી ફાઉન્ડેશનને બે વર્ષ અગાઉ જ આપી દીધા હતા. અલકાઝી ફાઉન્ડેશને ફોટોગ્રાફસની મોટી લાઈબ્રેરી ઊભી કરી છે. ભારત સરકારે તેમને પદ્મવિભૂષણથી સન્માન કર્યું ત્યારે તેમણે કહેલું કે, "મને પદ્મવિભૂષણ આપીને સરકારે મારુ નહિં પણ મારી ફોટોગ્રાફીની કલાનું સન્માન કર્યું છે."
 

No comments:

Post a Comment