ઈરાકના મોસુલમાં 39 ભારતીય નાગરિકોની હત્યા થઈ હોવાની જાણકારી મળતાં સમગ્ર દેશમાં ઉહાપો મચી ગયો છે. આ મૃતકોમાં મોટાં ભાગના મૃતક નારગિરકો પંજાબના છે. આથી પંજાબમાં મૃતકોના પરિવારો મોદી સરકાર અને સુષ્મા સ્વરાજ પર રોષ ઠાલવી રહ્યાં છે. મૃતકોના પરિવારોનું કહેવું છે કે, સુષ્માએ આ બાબતે પહેલા અમને જાણ કરવી જોઇતી હતી, તેઓ અમારી પાસે આવીને આ અંગેની જાણકારી આપી શક્યા હોત. પરિવારોએ વધુમાં જણાવ્યું કે, સરકાર દાવો કરી રહી હતી કે, કદાચ આ તમામ ભારતીયને ઈરાકની એક મસ્જિદમાં કેદ કરાયા હતાં, જો સરકારને પહેલાથી જ આ અંગે જાણ હતી તો, સરકારે અમને અત્યાર સુધી અંધારામાં કેમ રાખ્યા?
પંજાબના રહેવાસીઓએ મીડિયાને જણાવ્યું કે, અમે વિદેશ પ્રધાન સુષ્મા સ્વરાજ સાથે 12 વખત મુલાકાત કરી ચૂક્યાં છીએ, હમણાં સુધી સરકાર ઈરાકમાં કેદ કરાયેલા તમામ ભારતીય નાગરિકો જીવીત છે, તેવું કહેતી હતી, જો તેઓ જીવીત જ હતા તો સરકાર તેમને કેમ બચાવી ન શકી? કેમ અમને અત્યાર સુધી તેમના મોત વિશે જાણ ન કરવામાં આવી?
![]() |
તસવીરઃ- Google Photo |
મોસુલમાં માર્યા ગયેલા 39 ભારતીયના પરિવારજનો મૃતકોના DNA રિપોર્ટ જોવા માંગે છે, પરંતુ સરકારે હજુ સુધી મૃતકોના પરિવારજનો DNA રિપોર્ટ બતાવી શકી નથી. અત્રે નોંધનીય છે કે, વિદેશપ્રધાન સુષ્મા સ્વરાજે મંગળવારે સંસદમાં એક જાહેરાત કરી હતી કે, હું સંપૂર્ણ પુરાવા સાથે કહી શકુ છું કે, ઈરાકમાં 39 ભારતીય લોકોનાં મોત થયા છે. આ 39 ભારતીયો કંસ્ટ્રક્શનનું કામ કરતા શ્રમીકો હતા. આ મૃતકો પંજાબ, બિહાર, હિમાચલ પ્રદેશ અને પશ્ચિમ બંગાળના હતા. તેઓનું વર્ષ 2014માં ઈરાકના મોસુલમાં ઈસ્લામિક સ્ટેટના આતંકીઓએ અપહરણ કરી લીધુ હતું. ત્યાર બાદ તેમની કોઈ જાણકારી મળી નહોતી, પરંતુ હવે તે તમામ 39 ભારતીયોના પાર્થિવ દેહ ઈરાકના બાદુશના એક પહાડી વિસ્તારમાંથી મળી આવ્યા છે.
મોસુલમાં ISISના સકંજામાંથી ભાગવામાં સફળ રહેલ એક ભારતીય નાગરિક હરજિત મસીહ પોતે જીવતો ભારત પરત ફર્યો છે, સુષ્મા સ્વરાજ આ નાગરિકની કેટલીક વાતોને ખોટી ગણાવી છે. ઈરાકમાં બનેલી સમગ્ર ઘટના અંગે બચવામાં સફળ રહેલા મસીહે કહ્યું કે, ISISનાં આતંકીઓ 50 બાંગ્લાદેશી અને 40 ભારતીયને કંપનીની બસમાં બેસાડી એક પહાડી વિસ્તારમાં લઈ ગયા હતા, ત્યાં તમામને લાઈનમાં ઉભા રાખી તેમની સાથે લૂંટ કર્યાં બાદ ગોળીબાર કરવામાં આવ્યો હતો. જેમાં મને પગના ભાગે એક ગોળી વાગી હતી. જેથી હું ઘાયલ થઈ જમીન પર સૂઈ રહ્યો હતો, તો બીજી તરફ તમામ લોકો મોત થયા હતાં, ત્યારબાદ હું ત્યાંથી મારૂ નામ 'અલી' રાખી ભાગવામાં સફળ રહ્યો હતો અને ભારત પરત પહોંચ્યો હતો. જો કે સુષ્માએ કહ્યું કે, આ વાત એટલા માટે ખોટી સાબિત થાય છે કે, મેં જ્યારે અલીને પૂછ્યું કે અલી તું ઈરબિલ કેવી રીતે પહોંચ્યો, તો તેને કોઈ યોગ્ય જવાબ આપ્યો નહોતો, અલી પાસે મારા અમુક પ્રશ્નોનાં કોઈ જવાબ પણ નહોતા, તે સતત પોતાને બચાવી લેવાની જ વાત કર્યા કરતો હતો.
![]() |
તસવીરઃ- Google Photo (હરજિત મસીહ ઉર્ફે અલી) |
આ અંગે અગાઉ સુષ્માએ કહ્યું હતું કે, હરજિત મસીહે પોતાનું નામ બદલી અલી નામ રાખી અન્ય બાંગ્લાદેશીઓ સાથે ઈરાકના ઈરબિલ પહોંચી મને મદદ માટે ફોન કર્યો હતો. સુષ્માએ વધુમાં કહ્યું હતું કે, આ ભારતીય નાગરિકોને ISISએ કામ કરી રહેલા 40 ભારતીયને એક ટેક્સટાઇલ કંપનીમાં કામ કરવા કહ્યું હતું, આ ભારતીય નાગરિકોની સાથે બાંગ્લાદેશી લોકો પણ હતા. અહીં બાંગ્લાદેશી અને ભારતીયોને અલગ-અલગ સ્થાન પર રાખવામાં આવ્યા હતા.
![]() |
તસવીરઃ- Google Photo |
આ સમગ્ર ઘટના બાબતે પંજાબના CM કેપ્ટન અમરિંદર સિંહે કેન્દ્ર સરકાર સમક્ષ મૃતકોના પરિજનોને વળતર આપવાની માંગ કરી છે. હવે પ્રશ્ન એ થાય છે કે, જો સરકારને પહેલાથી જ ખબર હતી તો પછી કેમ આ ભારતીય નાગરિકોને બચાવી લેવામાં ન આવ્યાં? મૃતકોના પરિવારોને કેમ અજાણ રાખવામાં આવ્યાં? વારંવાર મુલાકાત છતાં કેમ મૃતકોના પરિવારને નજરઅંદાજ કરવામાં આવ્યાં? સુષ્માજી આમ તો વિદેશીઓને ભારતમાં સારવાર કે અન્ય કોઈ મદદે દોડી જાય છે, તો આ નિર્દોષ નાગરિકો વિશે તો પહેલાથી જ સુષ્માને જાણ હતી તો કેમ તેમને ન બચાવાયા? સવાલો તો છે જ....
No comments:
Post a Comment