કોઈપણ ચૂંટણીમાં એક તરફ સમાજિક રાજનીતિ ખેલવામાં આવે છે, તો બીજી તરફ મંદિર પોલિટિક્સને પણ મુદ્દો બનાવાય છે. એક તરફ જાતિવાદથી લોકોને બહેકાવવામાં આવે છે, તો બીજી તરફ ધર્મવાદથી લોકોને ગર્વ કરાવી ભડકાવાવની કોશિશ કરાય છે. જેમ ગુજરાતમાં કોંગ્રેસે જાતિવાદનો મુદ્દો બનાવી લોકોને વિખૂટાં કર્યાં હતાં. તેમ ભાજપ પણ યુપી જેવા દેશના મોટાં રાજ્યમાં હિન્દુ ધર્મના નામે રાજકારણ ખેલતું હોય છે. આવી જ રીતે કર્ણાટકમાં પણ સિદ્ધારમૈયાએ આગામી વિધાનસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખી ધર્મવાદનું કાર્ડ ખેલ્યું છે.
![]() |
તસવીરઃ- Google Photo |
કર્ણાટકના CM સિદ્ધારમૈયાએ આગામી વિધાનસભાની ચૂંટણી પહેલા જ રાજ્યમાં 18 ટકા જેટલી વસ્તી ધરાવતા લિંગાયત સમુદાયને અલગ ધર્મનો દરજ્જો આપવા પર સમર્થન કર્યું છે. કર્ણાટકમાં સિદ્ધારમૈયા સરકારે લિંગાયત સમુદાયને પોતાના તરફ ખેચવા અલગ ધર્મનો દરજ્જો આપતા પ્રસ્તાવને મંજૂરી આપી છે. આમ, કોંગ્રેસે લિંગાયત સમુદાયની વોટબેંક ખરીદવા ધર્મવાદની રાજનીતિ અપનાવી છે. મહત્વનું છે કે, કર્ણાટકમાં ચાલું વર્ષે એટલે કે, વર્ષ 2018ના એપ્રિલ-મે માસમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. આ ચૂંટણી માટે કોંગ્રેસ કોઈપણ સંજોગોમાં હાર માનવા તૈયાર નથી. એક તરફ ત્રિપુરા-નાગાલેન્ડ-મેધાલયમાં ભાજપ અને તેના સાથી પક્ષોએ સત્તા મેળવી છે, માટે ચૂંટણી પહેલા જ કોંગ્રેસે કર્ણાટકના લોકોને પોતાના પક્ષમાં લાવવા રાજકીય માહોલ પેદા કરી દીધો છે.
કર્ણાટકમાં આગામી સમયમાં ચૂંટણી યોજાવાની છે, ત્યારે કોંગ્રેસ પોતાની સત્તા ટકાવી રાખવા સતત નવા પ્રયોગો કરી રહી છે, જ્યારે ભાજપ યદુરપ્પાના નેતૃત્વ હેઠળ ફરી એકવાર સત્તામાં આવવા ઘડમથલમાં છે. કર્ણાટકમાં અત્યાર સુધી રાહુલ ગાંધી 4 રાજકીય પ્રયોગ કરી ચૂંક્યું છે. જેમાં પ્રથમ પ્રયોગના ભાગરુપે રાજ્યના લિંગાયત સમુદાયને પોતાની તરફ ખેંચવાની કોશિશ કરવામાં આવી રહી છે. હાલમાં સિદ્ધારમૈયા સરકારે લિંગાયતોની માંગને ધ્યાનમાં રાખી હાઈકોર્ટના એક નિવૃત જજ ન્યાયમૂર્તિ નાગામોહન દાસની અધ્યક્ષતામાં એક કમિટીની રચના કરી હતી. આ કમિટીએ લિંગાયત સમુદાયને અલ્પસંખ્યકનો દરજ્જો આપવા ભલામણ કરી હતી. આ ભલામણને રાજ્યના કેબિનેટમાંથી મંજૂરી પણ મળી ગઈ છે. સિદ્ધારમૈયા સરકારના આ નિર્ણયની અસર આગામી ચૂંટણી પર પડે તેવી સંભાવના છે. જેમ ગુજરાતમાં પાટીદાર અનામત આંદોલનનું સમર્થન કરી કોંગ્રેસ 80 બેઠક સુધી પહોંચી શકી હતી અને આજ પાટીદાર આંદોલનને લીધે આનંદીબેન પટેલને ગુજરાતના CM પદેથી નીચે ઉતરવાનો વારો આવ્યો હતો.
![]() |
તસવીરઃ- Google Photo |
કર્ણાટકમાં લિંગાયત સમુદાયની 18 ટકા જેટલી વસ્તી છે. તેથી જ તેઓ ચૂંટણીમાં કિંગમેકરની ભૂમિકા ભજવી શકે તેમ છે, પરંતુ ભાજપ કે કોંગ્રેસ ચૂંટણી સમયે જ કેમ આવા ગંદા રાજકારણનો સહારે લેશે. આ ગળે ઉતરતું નથી હો... ગુજરાતમાં જાતિવાદના નામે રાજકારણ ખેલાયું જેમાં કેટલાંય સમુદાયો આંતર વિરોધનો ભોગ બન્યાં હતાં. જે નેતા લોકોને ભેગા રાખી કામ કરે કે વિરોધ કરે તે જ સાચો નેતા છે. હાલના રાજકારણમાં તો લોકોને એક-બીજા સામે લડાવી રાજનીતિ કરવામાં આવી રહી છે. એક હકીકત છે, લોકો માને કે ન માને, પણ ગુજરાત ક્યારેય જાતિવાદ જેવા મુદ્દા પર નહોતું વિચારતું. લોકો પણ જાતિવાદ જેવા શબ્દનું નામો નિશાન જાણતા નહોતા, ત્યારે ગુજરાતમાં કોંગ્રેસે જાતિવાદ જેવી નવી ગુલામીનો આરંભ કર્યો. જેના પડઘા હવે પડી રહ્યાં છે. આવું માત્ર કોંગ્રેસ જ નથી કરતી. ભાજપ પણ લોકોમાં ભાગલા પાડો અને રાજ કરોની નીતિ અપનાવે છે. જ્યારે પણ યુપીની વાત કરવામાં આવે કે તરત જ ભાજપ રામમંદિરના નવા વાયદોઓ શરૂ કરી દે છે અને થોડા સમય પૂરતી રાષ્ટ્રવાદની નીતિનો વેશ ધારણ કરી લે છે.
જોકે કોંગ્રેસની આ નવી રણનીતિએ ભાજપની ચિંતા વધારી દીધી છે. કર્ણાટકમાં કોંગ્રેસી મુખ્યમંત્રી સિદ્ધારમૈયાએ લિંગાયત સમુદાયને હિન્દુઓથી અલગ એક નવી ધાર્મિક ઓળખ આપવા માટે સમર્થન કર્યું છે. મહત્વનું છે કે, કર્ણાટકની ચૂંટણીમાં ભાજપ જેને મુખ્યમંત્રી પદના ઉમેદવાર તરીકે ઉતરવાની છે. તે યદુરપ્પા પણ લિંગાયત સમુદાયમાંથી જ આવે છે. કર્ણાટકમાં પણ કોંગ્રેસના રાહુલ ગાંધી લિંગાયત સમુદાયના પ્રભાવશાળી વિસ્તારની મુલાકાત લઈ રહ્યાં છે. જેના ભાગરુપે રાહુલ લિંગાયત સમુદાયના ધાર્મિક મઠની મુલાકાતે ગયા હતા. રાહુલની આ નવી રાજનીતિ કેટલી સફળ થાય છે, એ તો આવનારો સમય જ બતાવશે, પરંતુ માત્ર પોતાના સ્વાર્થ ખાતર તમે ગમે તે કરી નાંખો એ કેટલે અંશે યોગ્ય છે?
લિંગાયત સમુદાય અને તેમનું રાજકીય મહત્વ
કર્ણાટકનો આ લિંગાયત સમુદાય પહેલાં હિંદુ-વૈદિક ધર્મનું જ પાલન કરતો હતો, પરંતુ સમાજમાં રહેલા કેટલાંક કુરિવાજોને દૂર કરવા માટે લિંગાયત સંપ્રદાયની સ્થાપના થઈ હતી. ઈષુની 12મી સદીના સમાજ સુધારક બાસવન્નાએ લિંગાયત સમાજની સ્થાપના કરી હતી. હાલમાં લિંગાયત સમુદાય તેમને ભગવાન બાસવેશ્વરા તરીકે ઓળખે છે. આ બાસવન્નાનું કહેવું હતું કે, લોકોને તેમના જન્મ અનુસાર નહીં, પરંતુ કામના આધારે વર્ગીકૃત કરવામાં આવે. દેશમાં લિંગાયત સમાજ મુખ્યત્વે દક્ષિણ ભારતમાં જોવા મળે છે. આ સમુદાયની કર્ણાટકમાં 18 ટકા જેટલી વસ્તી છે. આ સિવાય દેશના મહારાષ્ટ્ર, તેલંગાણા અને આંધ્ર પ્રદેશ જેવા રાજ્યોમાં પણ લિંગાયતની વસ્તી છે.
લિંગાયત સમુદાય કેટલાંય વર્ષોથી પોતાને અલગ ધર્મ તરીકે સ્થાપવા માટે આંદોલન કરી રહ્યો છે. ઉપરાંત સિદ્ધારમૈયા પણ લિંગાયતોની માંગનું જાહેરમાં સમર્થન કરી રહ્યાં છે, માટે જ કર્ણાટકની ચૂંટણીમાં લિંગાયતોની મહત્વની ભૂમિકા છે. આમ તો લિંગાયત સમુદાયના મતદારો ભાજપ સાથે રહ્યાં છે, પરંતુ કોંગ્રેસે લિંગાયતોને અલગ ધર્મની માન્યતા આપીને ચૂંટણી સમયે જ મોટો દાવ ખેલ્યો છે.
લિંગાયત સમુદાય કેટલાંય વર્ષોથી પોતાને અલગ ધર્મ તરીકે સ્થાપવા માટે આંદોલન કરી રહ્યો છે. ઉપરાંત સિદ્ધારમૈયા પણ લિંગાયતોની માંગનું જાહેરમાં સમર્થન કરી રહ્યાં છે, માટે જ કર્ણાટકની ચૂંટણીમાં લિંગાયતોની મહત્વની ભૂમિકા છે. આમ તો લિંગાયત સમુદાયના મતદારો ભાજપ સાથે રહ્યાં છે, પરંતુ કોંગ્રેસે લિંગાયતોને અલગ ધર્મની માન્યતા આપીને ચૂંટણી સમયે જ મોટો દાવ ખેલ્યો છે.
![]() |
તસવીરઃ- Google Photo |
લિંગાયતોનું સમર્થન સત્તાની સીડી સમાન
લિંગાયતો ઉત્તરી કર્ણાટકની પ્રભાવશાળી જાતિઓમાં મોકાનું સ્થાન ધરાવે છે. આ સિવાય વોક્કાલિગા જાતિ પણ દક્ષિણી કર્ણાટકની એક પ્રભાવશાળી જાતિ છે. 17ના દશકા સુધી લિંગાયતો ખેતિહર જાતિ વોક્કાલિગાના લોકોને સમર્થન કરતા હતા, પરંતુ કર્ણાટકના વરિષ્ઠ રાજનેતા દેવરાજ ઉર્સે લિંગાયત અને વોક્કાલિગાના લોકોનું રાજકીય વર્ચસ્વ તોડી નાંખ્યું, ત્યાર બાદ દેવરાજ ઉર્સે અન્ય જાતિઓ, અલ્પસંખ્યકો અને દલિતોને એક મંચ પર લાવી વર્ષ 1972માં કર્ણાટકના CM બન્યાં હતા. આ સિવાય 80ના દશકામાં રામકૃષ્ણ હેગડેએ લિંગાયત સમાજનો વિશ્વાસ જીત્યો અને કર્ણાટકના CM પણ બન્યાં હતાં. બાદમાં હેગડેના અવસાન થયું અને બી.એસ.યેદિયુરપ્પા લિંગાયતોના નવા નેતા બન્યાં, પરંતુ વર્ષ 2013માં ભાજપે યેદિયુરપ્પાને CM પદથી હટાવ્યાં, તેથી લિંગાયત સમાજ ભાજપથી નારાજ થયો. જેથી તેઓએ ભાજપને વોટ પણ ન આપ્યો. પરિણામે કોંગ્રેસ ફરી એકવાર સત્તામાં આવી ગઈ હતી. હવે ભાજપ ફરીથી લિંગાયત સમાજમાં સારું એવું વર્ચસ્વ ધરાવતાં યેદિયુરપ્પાને આગામી ચૂંટણીમાં CM કેન્ડિડેટ તરીકે જાહેર કર્યાં છે, પરંતુ શુ લિંગાયત સમુદાય યેદિયુરપ્પાને સ્વીકારશે કે પછી કોંગ્રેસને ફરીવાર સત્તામાં લાવશે?
અત્રે નોંધનીય છે કે, વરિષ્ઠ પત્રકાર ગૌરી લંકેશ પણ લિંગાયત પરંપરા સાથે જોડાયેલી હતી. જેની 5 સપ્ટેમ્બર 2017ના રોજ ગોળી મારીને હત્યા કરી દેવાઈ હતી.
No comments:
Post a Comment