Friday, March 30, 2018

...જ્યારે મૃત્યુંના 85 વર્ષ બાદ મૃત વર્માની વકીલાતનું લાઈસન્સ બ્રિટને પરત કર્યું હતું


બ્રિટનમાં રહેવાસી બનીને જ બ્રિટિશ સરકાર સામે લડવાની હિંમત કરનાર એક મહાન ગુજરાતી ક્રાંતિકારી એટલે શ્યામજી કૃષ્ણ વર્મા. બ્રિટનમાં વકીલાત કરતાં શ્યામજી વર્માની વર્ષ 1909માં તેમની વકીલાત રદ કરી દેવાઈ હતી, પરંતુ હવે વર્માના અવસાન બાદ 106મા વર્ષે બ્રિટિશ સરકારે પોતની એ ભૂલ સ્વીકારીને સુધારી છે. બ્રિટિશ સરકારે ફરીથી તેમને વકીલ તરીકે માન્ય ગણ્યા છે. 

તસવીરઃ- Google Photo

બ્રિટનના લંડનમાં રહેતા શ્યામજી વર્મા બ્રિટિશ સરકાર વિરૂદ્ધ પ્રવૃત્તિ કરતા હતા. વર્મા ભારતની આઝાદી માટે કંઈ પણ કરવા તૈયાર હતા. તેઓ વીર સાવરકર અને મદનલાલ ધિંગરા જેવા નવ લોહિયા યુવાનોને આઝાદી માટે માર્ગદર્શન પણ આપતા હતા. આ માર્ગદર્શન આપવાના ગુના માટે બ્રિટિશ બાર એસોસિએશને વર્માની વકીલાત કરવાની પરવાનગી એટલે કે સનદ રદ કરી દીધી હતી. આ સિવાય લંડનની ઈનર હાઉસ તરીકે ઓળખાતી કોર્ટમાં વર્માના પ્રવેશ પર પ્રતિબંધ મુકી દેવાયો હતો.

બાદમાં બ્રિટિશ સરકારને પોતાની ભૂલ સમજાઈ અને વર્ષ 1909માં રદ કરેલી વર્માની સનદને વર્ષ 2015માં પરત આપી હતી. મહત્વનું છે કે, વર્ષ 2015માં વડાપ્રધાન નરેન્દ્ર મોદી બ્રિટનની યાત્રાએ ગયા હતા, ત્યારે બ્રિટનના વડાપ્રધાન જેમ્સ કેમેરોને PM મોદીને વર્માનો સનદ-પત્ર પરત સોંપ્યો હતો. આમ, શ્યામજી કૃષ્ણ વર્માની શહાદતનું વધુ એક સન્માન મોદીના હાથે થયું હતું. આમ, શ્યામજી વર્માના અવસાનના 85 વર્ષ બાદ બ્રિટિશ સરકાર અને બ્રિટિશ બાર એસોસિએશનને પોતાની ભૂલ સમજાઈ છે અને તેમણે આ બાબતે પશ્ચાતાપ પણ કર્યો હતો.

તસવીરઃ- Google Photo

ક્રાંતિવર્ષ 1857ની 4 ઓક્ટોબરે શ્યામજી કૃષ્ણ વર્માનો જન્મ કચ્છના માંડવીમાં થયો હતો. તેમણે મુંબઈ અને વિલાયતમાં અભ્યાસ કરી ત્યારબાદ વકીલાત શરૂ કરી હતી. લંડનમાં તેમણે ઈન્ડિયા હાઉસ નામની સંસ્થા સ્થાપી હતી, જ્યાં ભારતથી જતા ક્રાંતિકારીઓની મુલાકાત ગોઠવાતી હતી. આ મુલકાતોમાં ભારતની આઝાદીની રૂપરેખા ઘડાતી હતી. તેમણે વર્ષ 1905માં 'ઈન્ડિયન હોમરૂલ સોસાયટી'ની સ્થાપના કરી હતી.

No comments:

Post a Comment