બનાસકાંઠા જિલ્લામાં બનાસડેરી દ્વારા કોરોના ગ્રસ્ત વિસ્તારમાં આવેલી 46 દૂધ મંડળીઓનું દૂધ લેવાનું બંધ કરતા હજારો પશુપાલકોની હાલત કફોડી બની છે.
હાલમાં 45 દૂધ મંડળીઓનું દૂધ લેવાનું બનાસ ડેરીએ બંધ કર્યું છે, માત્ર એક આસેડા ગામની દૂધ મંડળીમાં જ 1150 જેટલા દૂધ ગ્રાહકો છે અને આ ગ્રાહકોનો દર મહિને દોઢ કરોડ રૂપિયાનો પગાર લે છે. હવે આ ગામના પશુપાલન પર નભતા લોકોને દર મહિને દોઢ કરોડનું સીધું નુકશાન છે.
પશુદાણ અને ઘાસચારો મોંઘો છે, પશુદાણની એક બોરી પર 300થી 400 રુપિયાનો વધારો કરી દેવાયો છે.
45 દૂધ મંડળીઓમાં અંદાજે 20 હજાર જેટલા પશુપાલકો રોજ દૂધ ભરાવે છે, પરંતુ આ તમામ પશુપાલકોનું દૂધ બંધ થતા લોકો રઝળી પડ્યા છે.
બીજી તરફ દૂધનો નિકાલ પણ કઈ રીતે કરવો એ પણ એક સમસ્યા છે, જેના કારણે કંટાળેલા પશુપાલકો દૂધ હવે ગટરો રેડી છે કે પછી કૂતરાઓને પીવડાવીવા માટે મજબૂત બન્યા છે.
સરકાર આ પશુપાલકોનું દૂધ ખરીદે તો જ સમસ્યાનો ઉકેલ આવી શકે એમ છે.
લોકડાઉનના સંકટમાં ડેરી પ્રશાસને દાણના ભાવ ઓછાં કરવા જોઇએ...
No comments:
Post a Comment