અત્યાર સુધીના જીવનમાં થોડું થોડું પણ વાંચન મારા માટે મહત્વનું રહ્યું. ગામડાંની પ્રાથમિક શાળામાં હતો ત્યારે વાર્તાઓની પુસ્તકો ઘરે વાંચવા લાવતો...એક વાર આખી વાંચવાની અને પછી બીજી વાર ચોપડામાં જે ગમ્યું હોય એ ફરી વાંચવાનું...નાનો હતો ત્યારે ખેતરે જતો પપ્પા કામ કરાવવાના મ્હાલે મને શોર્ય વાર્તાઓ કહેતા એમાં પણ અબ્દુલ હમીદની શોર્ય કથા બહુંવાર સાંભળેલી એટલે જ કદાચ આજે સરહદ પર કોઈ જવાન શહીદ થાય તો દુઃખ થાય છે...પોલીસ પર પથ્થરમારો થાય ત્યારે દુઃખ થાય છે.
હું જ્યારે જ્યારે શાળામાંથી 2 બુક લાવતો ત્યારે મારા પહેલા પપ્પા એક બુક પુરી કરા દેતા...હાઈસ્કૂલમાં ગયો ત્યારે ખબર પડી કે કોઈ બુક વાંચવા માટે તમારે લાયબ્રેરી સુધી જવું પડે...એટલે જ આજે એ તમામ લાયબ્રેરી અને ગ્રંથપાલ સાથે સારા અંગત સંબંધ છે. એક ગ્રંથપાલ માટે આનંદ અને ખુશીની બાબત એક સારો વાંચક હોય છે. ITI કરતો ત્યારે બહુ રખડતો પણ થાકીને નગર પાલિકાની લાયબ્રેરીમાં જતો અને કંઈ પણ વાંચતો...
હું જ્યારે જ્યારે શાળામાંથી 2 બુક લાવતો ત્યારે મારા પહેલા પપ્પા એક બુક પુરી કરા દેતા...હાઈસ્કૂલમાં ગયો ત્યારે ખબર પડી કે કોઈ બુક વાંચવા માટે તમારે લાયબ્રેરી સુધી જવું પડે...એટલે જ આજે એ તમામ લાયબ્રેરી અને ગ્રંથપાલ સાથે સારા અંગત સંબંધ છે. એક ગ્રંથપાલ માટે આનંદ અને ખુશીની બાબત એક સારો વાંચક હોય છે. ITI કરતો ત્યારે બહુ રખડતો પણ થાકીને નગર પાલિકાની લાયબ્રેરીમાં જતો અને કંઈ પણ વાંચતો...
મારા માટે કોલેજ, વાંચનની એક નવી દિશા આપી ગઈ. કોલેજ અને ઘર વચ્ચે 25 કીમીનું અંતર હતું. જેથી સવારે વહેલા બસની લાઈટ ચાલુ રખાવી ન્યૂઝ પેપરના કટઆઉટ વાંચતો. જેથી વાંચનની ભૂખ જાગેલી...કોલેજમાં ઇતિહાસ વિષય હતો. જેથી જૂનો ઇતિહાસ અને નવું વાંચવાનું રહેતું...હું કોલેજમાં સુવિચાર લખતો. એટલે દરરોજ કંઈક નવું લાખવા વાંચવું પડતું. હું જ્યારે કોલેજના કોઈ વર્ગમાં ન હોવ તો મારા મિત્રો નક્કી કરી લેતા કે એ લાયબ્રેરીમાં જ હશે અને ઉઠાવી જતા. કોલેજમાં ગયો અને 10 પુસ્તકોવાળા પત્રકારત્વ વિગાગની તમામ બુક વાંચી નાંખી અને પહેલાથી જ ન્યૂઝ જોવામાં અને રાજકારણમાં રસ હતો પણ નેતા બનવાનો નહીં. પછી પત્રકારત્વ કરવાનું નક્કી કરી નાખ્યું. વચ્ચે છ મહિના GPSC પરીક્ષાની તૈયારી કરી અઢળક પુસ્તકો વાંચી, પણ પછી સમજાઈ ગયું કે, આટલી મહેનત હું પત્રકારત્વમાં જ કરું તો કેવું સારુ...
મારા વાંચનને નવો ચીલો ગાંધીની ગૂજરાત વિદ્યાપીઠથી મળ્યો. વિષય વાઈઝ વાંચવાનું, MA કક્ષાની ડિગ્રી માટે થોડું કામ કરવું પડતું જેથી ગાંધીજીને વાંચવાનો આનંદ મળ્યો જે આજે પણ યથાવત છે. જ્યારે જ્યારે પત્રકારત્વમાં સંકોચ થાય ત્યારે ત્યારે આજે પણ ગાંધીજીને વાંચુ છું. અસાઇમેન્ટ માટે લખાવનું હોય, જેથી લાયબ્રેરીમાં જતો. ગાંધીયુગના એક-બે પત્રકારો વિશે શોધ કરવાની હતી. જેથી ગાંધીજી, મહાદેવભાઈ, સરદાર પટેલને વાંચવાનું સૌભાગ્ય મળ્યું...ગાંધીજીના તમામ અક્ષરદેહ, ડાયરી, પત્રો અક્ષર સહ બે વખત વાચ્યાં છે, પણ ગાંધીજી વિશે કોઈ કંઈક બોલવાનું કહે ત્યારે સામેથી ના પાડી દઉ છું. બાપુએ કેટલું લખ્યું છે યાર....હજુ સુધી વાંચી નથી શક્યો. ગુજરાતી સાહિત્ય ગમ્યું એટલું જ વાચ્યું છે.
વિદ્યાપીઠમાં અશ્વિનભાઈને કારણે હું લાયબ્રેરીમાં નવા નવા પુસ્તકો વાંચતો રહ્યો. કોઈ પુસ્તક શોધવાની હોય ત્યારે પહેલા ગુજરાતી વિભાગમાં જવાનું અને એક નાની ગઝલની પુસ્તિકા વાંચતા વાંચતા બુક શોધવાની. અશ્વિનભાઈ હ્યુમર લખતા અને કહેતા... વિદ્યાપીઠની લાયબ્રેરીમાં પત્રકારત્વને ઢ વિભાગ મળ્યો... નવા શબ્દો અને રેફરન્સ માટે શબ્દકોશ વાંચવા જતો. કેટલાક એવા રેફરન્સ પણ આવતા કે 1975ની બુક લાયબ્રેરીમાં બેસીને જ વાંચવી પડતી. આ બધાની વચ્ચે લાયબ્રેરીના તમામ સેવકોએ સાથ આપ્યો છે.
એકવાર GLFમાં ઉર્વિશ કોઠારીને મળ્યો, ત્યારે એમને કહેલું કે જો તમે પત્રકાર છો તો તમારી બેગમાં એક ડાયરી ને બે પુસ્તકો હોવા જ જોઈએ. ત્યારથી અત્યાર સુધી મારી પાસે પુસ્તક વગરનો એક પણ દિ નથી ગયો. થોડું તો થોડું વાચ્યું છે. પત્રકારત્વમાં આવ્યાં પછી પુસ્તકની સાથે સાથે કેટલાક મીડિયાના કાર્યક્રમો જોવા જરૂરી બન્યા છે, વાંચવાનું બંધ કર્યું નથી, પણ ઓછું જરૂર થયું છે.
હૈદરાબાદ ગયો ત્યારે એક વિમલ પાન મસાલાનો થેલો ભરીને પુસ્તકો લઈ ગયો હતો. જે આજે 2 થેલા સુધી પહોંચી ગયાં છે. મારા માટે કોઈ ઉત્તમ ગિફ્ટ એક સારુ પુસ્તક જ છે, જે હું આપું છું અને લઉ છું પણ ખરો. નવાબોના શહેરમાં રામુદાદાની ફિલ્મસિટી સુધી પહોંચવા એટલે કે જોબ માટે 28 કીમીનું અંતર કાપવું પડે છે. એટલે 2.5 વર્ષમાં 9 પુસ્તકો બસમાં જ પુરી કરી છે. માત્ર વિષય વાઈઝની
આજે એવું લાગે છે કે, પત્રકારત્વમાં એક્ટિવિઝમ ઘૂસ્યુ છે...જે રાઈટ અને લેફ્ટ તરફ જતું દેખાઈ રહ્યું છે. જે સવાલ-જવાબ પુરતું સીમિત બન્યું છે એટલે હવે ગાંધીજીનું સાહિત્ય અને પત્રકારત્વ નથી દેખાતું. જે આજે મને પ્રાસંગિક લાગી રહ્યું છે. જેથી ફરી પાછો હું ગાંધીજી તરફ જઈ રહ્યો છું. આ વર્ષથી સંશોધનમાં આગળ વધવાનો પ્લાન છે માટે હવે એકાગ્ર થઈ વાંચવું ફરજીયાત બન્યું છે. સારા પુસ્તકોની સલાહ આપતો નથી કેમ કે દરેક પુસ્તક પોતાના અસ્તિત્વ સાથે જીવતું હોય છે અને દરેક લેખક માટે પોતાનું પુસ્તક એક દિકરા સમાન છે.
વાંચન મારા માટે એક મિત્રના સાથ જેટલું જ મહત્વનું રહ્યું છે. એના માટે કોઈ જ કોમ્પ્રોમાઈઝ કરતો નથી, પણ એવો ઘણો સમય વાચ્યાં વગર વિતી જાય છે, આ 2020માં મેં નક્કી કર્યું છે કે, 12 મહિનાની 12 ટૂંકી વાર્તાઓ લખવી છે, પણ હજુ સુધી શરૂઆત કરી નથી. અત્યારે ડિજીટલ વાંચનનો માહોલ છે, પણ પુસ્તક જેવી મજા નથી, પણ લેખકોએ ડિજીટલ થવું જારૂરી બન્યું છે. આજે લોકડાઉન છે, મારી બેગમાં રહેલી આ ત્રણ પુસ્તકો હાલ મારા લોકડાઉની મિત્રો છે. વાંચન માણસને જીવંત રાખે છે,
- કલ્પેશ
No comments:
Post a Comment