બિનસચિવાલયની પરીક્ષામાં ગેરરીતિ થયાના CCTV સામે આવ્યા અને વિદ્યાર્થીઓએ પરીક્ષા રદ કરવાની વાત કરી ગાંધીનગરમાં આંદોલન કર્યું. આ વિરોધ પ્રદર્શન જોઈ 1973માં વિદ્યાર્થીઓે છાત્રાલયના ભોજન શુલ્કમાં વધારો પર હડતાલ કરી હતી. બાદમાં આ ગુજરાત યુનિવર્સિટીમાં પણ વિદ્યાર્થીઓ અને પોલીસ વચ્ચે અથડામણો થઇ જેનાથી સમગ્ર ગુજરાતમાં વિદ્યાર્થી આંદોલનો શરૂ થયા હતાં. આમ, અન્યાય સામે અવાજ ઉઠાવવા વિદ્યાર્થીઓ મજબૂરીવશ મેદાને ચડ્યા છે. આવા ઐતિહાસિક આંદોલનોમાં વિદ્યાર્થીઓ ફળો મહત્વનો રહ્યો છે. જેથી હવે વિદ્યાર્થીઓએ આગળ આવવું પડશે.
સામન્ય રીતે રાજકારણથી અગળા રહેતા અને ક્યાંક સરકારની હા..માં હા...ભરતા ગુજરાતી યુવકો હવે મેદાને ચડ્યા છે. સરકારી પરીક્ષાઓ જે કૌભાંડો થયા છે એ મહેનતું વિદ્યાર્થીઓના ઉજ્જવળ ભવિષ્ય માટે ખતરો છે. રાજ્યમાં છેલ્લા કેટલાય સમયથી આ જૂવાળ હતો જે હવે બહાર આવ્યો છે. વાક સરકારનો છે, કારણ કે પરીક્ષામાં થતો ભ્રષ્ટાચાર અને લાગવાગીયાઓના સંતોનોનું કલ્યાણ સરકાર રોકી શકી નથી. જેથી મહેનતું વિદ્યાર્થીઓને મોટું નુકશાન થયું છે.
એક વિદ્યાર્થીના દિલની વાત કરીએ તો સમજાય કે, સરકારી પરીક્ષાઓની તૈયારી કેવી રીતે થાય છે. મને યાદ જ્યારે એક સમયે હું પણ GPSCના ભૂતને માથે લઈ સતત રાત-દિ એક કરી ફરતો હતો અને સળવારે તો મળ્યું શૂન્ય. અમારા શિક્ષકો અમને કહેતાં તનતોડ મહેનત કર, માતા-પિતા હંમેશા ગર્વ રહેતો કે છોકરો તૈયારી કરે છે, પણ જ્યારે પરીક્ષાની ઘડીઓ આવતી ત્યારે અમારી તનતોડ મહેનત આગળ લાગવગીયાઓના ઠોઠ છોરા 15-20-25 લાખમાં અધિકારી બની ગયાં.
રાત-દિ એક કરી મહેનત કરતું આ યુવાધન આજે કલાકો સુધી રસ્તા પર આવી ગયું છે, એની પાછળનું સૌથી મોટું કારણ નબળી સરકાર જ છે. સાહેબ આપણને જે ગુજરાતી ભાષા પર ગર્વ છે એ ગુજરાતી ભાષાના પેપરમાં અઢળક વિદ્યાર્થીઓ ફેલ થાય છે. આજે ગણ ગામડાંની શાળાઓમાં વિદ્યાર્થીઓને ગુજરાતી વાંચતા નથી આવડતું. આ બીજા કોઈ નહીં આપણા પનોતા પુત્ર વડાપ્રધાન મોદીની જ દેન છે. એમના સમયમાં છોકરુ શાળામાં હાજર રહ્યું હોય કે, ન રહ્યું હોય.....એને પાસ જ કરવાનું. ગુણોત્સવની મસ મોટી ફોગટી ઈવેન્ટ ઉભી કરી શિક્ષણના ધજારગા ઉડાવી દીધા અને પછી મોદીના ગુજરાત મોડેલની ધૂરા રૂપાણી સાહેબના હાથમાં આવી. ભાષણમાં "મારૂ એવું માનવું છે કે" એમ કહી લોકોને પારણે મનાવનારા વિજયભાઈ સંતાકુકડીના દૂધપાકી સાબિત થયા છે.
No comments:
Post a Comment