Tuesday, May 14, 2019

બદલાતું 'Time'નું કવરપેજ, પણ ન બદલાઈ Modi's Image

વૈશ્વિક મેગેઝીન 'Time'એ પોતાના 20 મેના અંકમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને કવર પેજ પર જગ્યા આપી છે. જોકે, સમય સાથે બદલાતા 'Time' મેગેઝીનને આ વખતે નરેન્દ્ર મોદી માટેનો બદલાતો રિવ્યુ પ્રકાશિત કર્યો છે. 'Time'એ મોદીને કવર પેજ પર સ્થાન તો આપ્યું જ છે. જેની સાથે એક વિવાદીત ટેગલાઈન પણ રાખી છે. મેગેઝીને મોદીને "India's Divider in Chief"  એટલે કે, ભારતના ભાગલા પાડનાર વડા'. આજે આપણે એવી વાત કરીશું...જ્યાં વિવાદો વચ્ચે મોદીની લોકપ્રિયતામાં વધારો થયો. 'Time'નું કવર પેજ નરેન્દ્ર મોદી માટે દરેક વખતે લોકપ્રિયતાનું સાધન બન્યું છે. નરેન્દ્ર મોદી એક એવા ભારતીય છે, જેમને આંતરરાષ્ટ્રીય 'Time' મેગેઝીને 3 વખત જગ્યા આપી છે. આ પહેલાં પણ ટાઈમ મેગેઝીને માર્ચ-2012, મે 2015 અને હવે મે 2019માં પોતાના કવર પેજ પર જગ્યા આપી છે.



2012માં 'Modi Means Business, But Can He Lead India?'
2012માં TIME મેગેઝીને મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતાં ત્યારે પ્રથમ વખત છાપ્યાં હતાં. કહેવાય છે કે, આ સમયે મોદીને ભારતમાં પ્રતિષ્ઠીત કરવાનો મેગેઝીને પ્રયાસ કર્યો હતો. કવર પર જ Modi Means Business, But Can He Lead India? ટાઈટલ છપાયું હતું. એટલે કે મોદી એક સારા બિઝનેસમેન અને અર્થશાસ્ત્રી છે. આ ટાઈટલથી મોદીની લોકપ્રિયતા વધી હતી. એ વખતે લખાયું હતું કે, મોદી ભારતના ઉચ્ચ પદે પહોંચશે. મેગેઝીને પોતાની કવર સ્ટોરીમાં મોદીને એક વિવાદાસ્પદ નેતા અને ચતુષ્કોણીય રાજકારણી હોવાનું લખ્યું હતું. 

આ લેખના એક ફોટો પર ટેગ લાઈન હતી. જેમાં "દિલ્હી પર ડિઝાઇન: મોદી ભારતના આગામી વડાપ્રધાન બનવાના પ્રબળ દાવેદાર..... આટલું જ નહીં આ લેખમાં કહેવામાં આવ્યું છે કે, "મોદીની કાર્યશૈલીની ક્ષમતા દિલ્હીમાં બેઠેલી UPA સરકારની ઊંઘ ઉડાવી દેશે." એટલે કે, 2012માં ટાઇમ મેગેઝીને મોદીને આત્મનિર્ભર માણસ તરીકે વર્ણવ્યા હતાં. ગુજરાતના CM તરીકે મોદીની લોકપ્રિયતા તો હતી જ, પણ TIMEના કવરપેજ પર આવ્યાં બાદ મોદી ગુજરાતના એક મુખ્યમંત્રી નહીં પણ દેશના જાણીતા નેતા બની ગયાં. કેટલાક લોકોને એ જાણીને આશ્ચર્ય થશે કે, યુવાનોમાં મોદીની લોકપ્રિયતા વધાવાનું સૌથી મોટું કારણ TIME અને કેટલાક વિદેશી મીડિયાનું મોદી પરનું વધારે પડતું કવરેજ હતું. જે કવરેજથી માત્ર ભારત જ નહીં પણ વિદેશોમાં ભારત દેશ કરતા મોદીની લોકપ્રિયતા વધી ગઈ. UPA સરકાર અને મનમોહનથી થાકી ગયેલી દેશની જનતાને મોદીમાં આગામી વડાપ્રધાન દેખાવા લાગ્યાં. જેથી દેશમાં મોદીની સતત લોકપ્રિયતા વધતી ગઈ. આ સમયમાં જ કેટલાંક વિદેશી મીડિયાએ 2002ના ગોધરાકાંડ અંગે મોદીની આલોચના કરી. આ આલોચનામાં પણ મોદીની તો પબ્લિસીટી જ થઈ, હા...એ નેગિટીવ હતી, પણ લોકોની આંખોમાં મોદીની એક તસવીર બની. જે સમય જતા આગામી PMમાં બદલાઈ ગઈ.   

2015માં 'WHY MODI MATTERS'
TIMEએ મે 2015માં ફરી એકવાર નરેન્દ્ર મોદીને સ્થાન આપ્યું. જ્યારે વડાપ્રધાન તરીકે મોદીએ એક વર્ષ પૂર્ણ કર્યું હતું. એ વખતે મેગેઝીન મોદીનો ઈન્ટરવ્યું લીધો અને ઈન્ટરવ્યું આપવામાં મોદી કેટલા પાકા છે એ આપણાં બધાને સારી એવી રીતે ખબર છે. એ સમયે કવર પેજ પર 'WHY MODI MATTERS'ની ટેગલાઈન રાખવામાં આવી. આપણને બધાને ખબર જ છે કે, વડાપ્રધાન બન્યા બાદ મોદીએ ઘણાં વિદેશ પ્રવાસ કર્યાં, જેથી મોદીએ ભારતની સાથે સાથે પોતાની એક વૈશ્વિક ઈમેજ ઉભી કરવાનો પ્રયત્ન કર્યો. 

TIMEએ લીધેલા ઈન્ટરવ્યુમાં મોદીએ ભારતના અમેરિકા અને ચીન સાથેના સંબંધો વિશે અને દેશના વૈશ્વિક આર્થિક વિકાસ વિશે વાતો કરી. આજ ઇન્ટરવ્યુંમાં મોદીએ વિશ્વ શાંતિ અને આતંકવાદનો મુદ્દો પણ ઉઠાવ્યો. આમ, 2015માં TIMEનું કવરેજ મોદીને ફળ્યું, આ સમયે જ મોદીએ વિશ્વશાંતિ પર વાત કરી ત્યાં કેટલાક મીડિયાએ મોદીને 2002ના ગોધરકાંડ અંગે આકરી ટીકા કરી. આ ટીકા પણ મોદીને ફળી અને મોદીની એક વડાપ્રધાન તરીકેની ગ્લોબલ ઈમેજ ઉભી થઈ. એક તારણ છે કે, જ્યારે જ્યારે ગોધરાકાંડ મુદ્દે મોદીની ટીકા થઈ ત્યારે ત્યારે મોદીની લોકપ્રિયતામાં વધારો થયો. એ સમયે ગોધરકાંડ મુદ્દે ગુજરાતમાં રહેતા મુસ્લિમોના ઈન્ટરવ્યું લેવાયા. જેમાં મોદીની ટીકા થવાને બદલે પ્રસંશા થઈ. આ બાબત કોઈ માને કે ન માને પણ વરવી વાસ્તવિકતા હતી. જોકે હું ગોધરાકાંડમાં ગુજરાતના CM તરીકે મોદીને જવાબદાર માનું છું. જેઓ હિંસા ન રોકી શક્યાં. હા....એ વાત ચોક્કસ છે કે, દરેક વખતે હિંસાની શરૂઆત મુસ્લિમો દ્વારા થઈ પણ એનો અંત હિન્દુઓએ કર્યો. જે સૌથી વધુ ખરાબ હતો.     

હવે 2019માં મોદી-"India's Divider in Chief"
હવે મેગેઝીને લોકસભા ચૂંટણી 2019 દરમિયાન અને છેલ્લાં પાંચ વર્ષના મોદી સરકારના કામકાજ પર સ્ટોરી કરી છે. જેમાં મોદીને "India's Divider in Chief" એટલે ભારતના મુખ્ય ભાગલા પાડનાર. આ લેખમાં લખાયું છે કે, મોદીને હિન્દુ-મુસ્લિમ વચ્ચે ભાઈચારાની ભાવના વધારવામાં કોઈ ઈચ્છા નથી. એટલે કે મોદીએ ભારતમાં ધાર્મિક રાષ્ટ્રવાદનું વાતાવરણ ઉભુ કર્યું છે. હવે જ્યારે દેશમાં લોકસભા ચૂંટણી ચાલી રહી છે અને ગણતરીના દિવસોમાં તેના પરિણામ પણ આવવાના છે, ત્યારે ફરી ટાઈમ મેગેઝીન મોદીને કવર પેજ પર સ્થાન આપી મોદીની લોકપ્રિયતામાં વધારો કર્યો છે. તમને લાગે કે આ વખતે તો નેગેટિવ બાબતો લખાઈ છે. જી...હા...એ વાત સાચી પણ મોદીને દરેક વખતે નેગેટિવ પબ્લિસીટી ફળી છે. 

રહી વાત મોદીના રાજીવ ગાંધીવાળા નિવેદનની તો મોટા કલાકાર તરીકે મોદીને એ સારી રીતે આવડે છે કે, મીડિયાને કેવી રીતે મુદ્દાઓથી ભટકાવવું. તમે જોયું હશે, જ્યાં ઉત્તર ભારત સિવાયના રાજ્યમાં મતદાન ચાલી રહ્યું હતું ત્યારે મોદીએ સ્થાનિક મુદ્દાઓ સાથે પ્રતિસ્પર્ધીઓને ટક્કર આપી. મોદીને ખબર હતી કે, જો હું ઉત્તર ભારતમાં પ્રચાર રણનીતિ સાથે મુદ્દાઓને નહીં બદલું તો લોકો નજરઅંદાજ કરશે. મીડિયા દ્વારા થતી મારી ટીકા લોકોમાં ઘર કરી જશે. આ માટે જ મોદીએ રાજીવ ગાંધીવાળું નિવેદન આપ્યું. પછી આપણા મીડિયા શું ચલાવ્યું.....1985ના શીખ દંગા અને 2002નો ગોધરાકાંડ. જેથી માડિયા મુળ મુદ્દાથી ભટકી ગયું અને મોદીને પબ્લિસીટી મળવાની ચાલું થઈ ગઈ...Timeની સ્ટોરીમાં શું છે? ભલે ટાઈટલ મોદીની ટીકા કરતું રાખ્યું હોય પણ નોટબંધી અને GSTને તો ઐતિહાસીક નિર્ણયો જ ગણાવ્યાં છે. મોદીને ખબર હતી કે, ઉત્તર ભારતમાં કંઈક નવું કરવું જ પડશે, નહીં તો સત્તા જશે. મોદી પાસે થોડું ખુટતુ હતું એ Timeએ સરભર કરી આપ્યું. 

Timeની સ્ટોરી બાદ મોદીને શું મળ્યું?      
એક અનુમાન છે કે, Timeની સ્ટોરીમાં મોદીને 3 વખત સ્થાન મળ્યું, ત્રણેય વખત મોદીની યુવાનોમાં લોકપ્રિયતા વધી. આ સિવાય Timeએ પોતાની પ્રભાવશાળી વ્યક્તિઓની યાદીમાં મોદીને ત્રણવાર સ્થાન આપ્યું. ટાઈમે જ્યારે જ્યારે મોદીને સ્થાન આપ્યું ત્યારે ત્યારે ભારતમાં ચૂંટણીઓ જ ચાલી રહી હતી. જેમ કે ડિસેમ્બર-2012 ગુજરાત વિધાનસભા ચૂંટણી, માર્ચ-2017 ઉત્તરપ્રદેશ વિધાનસભા ચૂંટણી. આ બંને ચૂંટણીમાં મોદીના નામ પર ભાજપને જંગી બહુમતી સાથે સત્તા મળી. એટલે જ કહી શકાય કે, Timeની સ્ટોરીથી મોદીને માત્ર પબ્લિસીટી જ મળી છે.  


No comments:

Post a Comment