Saturday, December 29, 2018

જસદણમાં ભાજપના કુંવરની જીત, જાણો વિગતે


2017ની વિધાસભા ચૂંટણીમાં રાજકોટ જિલ્લાની જસદણ બેઠક પરથી કોંગ્રેસમાંથી કુંવરજી બાવળિયાની જીત થઈ હતી, હવે કુવરજીએ કોંગ્રેસમાંથી રાજીનામું આપતા આ બેઠક ખાલી થઈ હતી. જેને લઈને ફરી આ બેઠક પર પેટા ચૂંટણી યોજાઈ હતી. જેમાં ગુરુ કુંવરજીની જીત થઈ છે, જ્યારે તેમના જ ચેલા અવસર નાકિયાની હાર થઈ છે. 


ચૂટણીનો ઇતિહાસ અને મતદારો
જસદણ વિધાનસભા બેઠકની તમામ ચૂંટણીનો રસપ્રદ ઇતિહાસમાં 4 વખત અપક્ષ, 9 વખત કોંગ્રેસ અને ભાજપ માત્ર એક જ વાર પેટા ચૂંટણીમાં જીતેલું હતું. હવે કુંવરજીના ભાજપમાં આવ્યાં બાદ બીજી જીત નોંધાઈ છે. જસદણમાં 4 વખત ઇત્તર, બે વખત પટેલ અને 8 વખત કોળી ઉમેદવાર વિજેતા થયાં છે. મહત્વનું છે કે, સતત 6 ચૂંટણી જીતવાનો કુંવરજી બાવળીયાનો રેકોર્ડ છે.

પરિણામ પર વિશ્લેષણ...



મહત્ત્વનું છે કે, જસદણ પેટા ચૂંટણી માટે ભાજપે કુંવરજી બાવળીયાને મેદાનમાં ઉતારી કોળી કાર્ડ ખેલ્યું હતું, તો કોંગ્રેસે પણ કોળી કાર્ડ ખેલતા કુંવરજીના શિષ્ય ગણાતા અવસર નાકિયાને મેદાનમાં ઉતાર્યાં હતાં. જસદણ વિધાનસભા બેઠકમાં કુલ 105 જેટલા ગામ આવેલા છે. આ ગામમાં કુલ સાડા 3 લાખથી પણ વધુની વસ્તી છે. જસદણ બેઠક પર 2.30 લાખથી વધુ મતદારો છે. જેમાં 1 લાખ 21 હજાર પુરુષ મતદારો અને 1 લાખ 9 હાજર મહિલા નોંધાયેલાં હતાં.

જાતિગત સમીકરણ
જસદણ બેઠક પર કોળી અને પાટીદાર સમાજનું પ્રભુત્વ છે. જસદણ બેઠક પર 93 હજાર કોળી મતદારો છે, જ્યારે પાટીદાર સમાજના 57 હજાર મતદારો છે. જેથી આ બેઠકના પરિણામ પર કોળી સમાજ અને પાટીદાર સમાજની અસર કરી હતી. જોકે કોળી સમાજનું પ્રભુત્વ ધરાવતી આ બેઠક ઉપર કોંગ્રેસ પાટીદારોને એકઠાં કરવામાં લાગી હતી, કારણ કે કોળી સમાજ બાવળીયાથી નારાજ હતો, જો કોળી અને પટેલ મતદારો એક થાત તો કોંગ્રેસ માટે જસદણનો જંગ જીતવાના સમીકરણો બની શકતા હતાં.

જસદણમાં કોળી સમાજના 37% તેમજ પાટીદાર સમાજના 20% મત હતાં. જેથી અન્ય સમાજના મતદારો ખુબ જ નિર્ણાયક સાબિત થઈ શકતા હતાં. જે જસદણના રાજકારણનું અંક ગણિત બગાડી શકતા હતાં, પરંતુ આ બધાની વચ્ચે કુંવરજીની જીત થઈ હતી.

જસદણનો જવાબ: News Room Live... 

 

કુંવરજી બાવળિયાની રાજકીય સફર
વર્ષો સુધી કોંગ્રેસ સાથે જોડાયેલા કુંવરજી બાવળિયાએ હવે ભાજપનો ખેસ ધારણ કરી દીધો છે. કુંવરજીનો 16 માર્ચ 1955ના રોજ રાજકોટ જિલ્લામાં થયો હતો. 63 વર્ષીય કુંવરજી બાવળીયા કોળી સમાજના અગ્રણી નેતા છે. કુંવરજીની કોળી સિવાય પટેલ સમુદાયમાં પણ સારી એવી ઓળખ છે. એક ખેડૂત અને શિક્ષક એવા કુંવરજી બાવળિયા એક સ્વચ્છ પ્રતિભા ધરાવે છે. આ ઉપરાંત કુંવરજી સારા ખેડૂત, સમાજિક સેવક તરીકેની ઓળખ પણ ધરાવે છે. બાવળીયાનું શરૂઆતનું શિક્ષણ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં થયું અને આગળના શિક્ષણ માટે તેઓ ગુજરાત યુનિવર્સિટીમાં ગયાં.

કોળી સમુદાયનું સમર્થન ધરાવનાર બાવળીયાએ 1995થી 2007 સુધી જદસણથી કોંગ્રેસમાંથી ચૂંટણી જીતી હતી. બાવળીયા વર્ષ 2009માં રાજકોટથી સાંસદ તરીકે ચૂંટાયા અને સંસદમાં ગયાં. વર્ષ 2017માં કુંવરજી ફરી એકવાર જસદણ વિધાનસભા બેઠકથી ધારાસભ્ય તરીકે ચૂંટાયાં હતાં, પરંતુ સતત કોંગ્રેસથી નારાજ એવા બાવળીયાએ અંતે 2018માં પોતાના પદ અને કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું, ત્યારબાદ ભાજપમાં જોડાઈ ગયાં હતાં. બાવળીયા જેવા ભાજપમાં જોડાયા કે તેમને રૂપાણી સરકારમાં કેબિનેટ પ્રધાન બનાવી દેવામાં આવ્યાં, હાલ કુંવરજી પાણી પુરવઠા, પશુપાલન અને ગ્રામીણ આવાસનું મંત્રાલય સંભાળી રહ્યા છે.

કોળી સમાજને સોરાષ્ટ્રની મોટી મતબેંક માનવામાં આવે છે, જ્યાં 2017ની ચૂંટણીમાં ભાજપનું પ્રદર્શન ખુબ ખરાબ રહ્યું હતું. હવે બાવળીયા ભાજપમાં જોડાયા છે. જેથી ભાજપ લોકસભાની ચૂંટણી પહેલા સૌરાષ્ટ્રમાં કોળી સમાજના વોટ પોતાની તરફ ખેંચવાની મંશામાં છે. કુંવરજીની ઓળખ કોળી સમાજના મોટા નેતા તરીકે છે. કોળી સમાજની સૌરાષ્ટ્રનું સારુ એવું પ્રભુત્વ છે. આ સિવાય કુંવરજીનું 3 જેટલી લોકસભા બેઠકો ઉપર પ્રભુત્વ છે.

No comments:

Post a Comment