બેંજામિન ફેકલિનનો જન્મ 6 જાન્યુઆરી, 1706ના રોજ અમેરિકાના બોસ્ટન સ્થિત મિલકસ્ટ્રીટમાં થયો હતો. તેમના પિતા જોસિએ ફેંકલિન પ્રાણીઓની ચરબી ઉતારવાનું કામ કરતા હતા. પિતા જોસિએ બે વખત લગ્ન કર્યાં હતાં. જેનાથી તેમને કુલ 17 સંતાનો થયાં હતાં. આ તમામ સંતાનોમાં બેંજામિન ફેકલિન સૌથી નાના હતાં.
 |
તસવીરઃ- Google Photo |
બેંજામિન ફેકલિને 10 વર્ષની નાની વયે જ શાળાનો અભ્યાસ છોડી દેવો પડ્યો હતો. બાદમાં તેઓ 12 વર્ષની વયે પોતાના ભાઈ જેમ્સ ફેંકલિંનના પ્રિન્ટિંગ પ્રેસમાં તાલિમાર્થી તરીકે જોડાયા હતાં. ભાઈ જેમ્સ ફેંકલિંન "ન્યું ઈંગ્લેન્ડ" નામનું જર્નલ પ્રકાશિત કરતા હતા. સમય જતા બેંજામિન પણ "ન્યું ઈંગ્લેન્ડ" જર્નલના સંપાદક બન્યાં હતાં, પરંતુ બંને ભાઈ વચ્ચે સતત ઝઘડાઓ થતાં રહેતા હોવાથી બેંજામિન સંપાદનનું કામ છોડી ન્યૂયોર્ક ચાલ્યા ગયાં. ત્યારબાદ તેઓ વર્ષ 1723માં ફિલાડેલ્ફિયા પહોંચ્યાં અને ત્યાં તેઓએ એક પ્રેન્ટિંગ પ્રેસમાં નોકરી મેળવી કામ કરવાની શરૂઆત કરી.
 |
તસવીરઃ- Google Photo |
અહીં થોડાક સમય કામ કર્યું બાદમાં ઈંગ્લેન્ડના ગવર્નર કીથેએ તેઓને લંડનમાં કામ કરવા માટે આમંત્રિત કર્યાં. લંડનમાં તેઓેએ એક પ્રિન્ટિંગ પ્રેસમાં કામ કર્યું, પરંતુ તે કામ પણ યોગ્ય ન લાગતા બેંજામિન ફિલાડેલ્ફિયામાં પરત ફર્યાં. બેંજામિનને એક ડેનમન નામના વેપારીનો સાથ મળ્યો, પરંતુ થોડાંક જ સમય બાદ વેપારી ડેનમનનું અવસાન થયું, ત્યાર બાદ બેંજામિને પોતાની માલિકીના પ્રિન્ટિંગ પ્રેસની સ્થાપના કરી.
માલિકીના પ્રિન્ટિંગ પ્રેસમાંથી સૌપ્રથમ "ધ પેંસિલ્વેનિયા ગેઝેટ"નું પ્રકાશન કર્યું. આ સામાહિકમાં તેઓ પોતાના એનેક નિબંધો પ્રકાશિત કરતા હતાં. આ નિબંધોમાં મોટા ભાગે સ્થાનિક સુધારા એટલે કે સ્થાનિક લોકોના જીવન-ધોરણમાં સુધારો કરવા માટે વિવિધ રજૂઆત કરવામાં આવતી હતી. આ સામાહિકના માધ્યમથી લોકોના પ્રશ્નોને વાચા મળતી હતી. તેઓ 23 વર્ષની નાની વયે "ધ પેંસિલ્વેનિયા ગેઝેટ"ને પ્રકાશિત કરી ફિલાડેલ્ફિયામાં એક સફળ સામાહિકના સંપાદક અને પ્રકાશક બન્યા હતા.
 |
તસવીરઃ- Google Photo |
વર્ષ 1732માં બેંજામિન ફેંકલિને "પુઅર રિચાર્ડસ અલમૈનક" નામનું એક સામાહિક બહાર પાડ્યું. આ સામાહિકે ખાસ્સી એવી નામના મેળવી હતી. આ સામાહિકનું 'અલમૈનક' નામનું ઉપનામ મળેલું. એવું કહેવાય છે કે, 'અલમૈનક' સામાહિકને લીધે તેઓ સમગ્ર વિસ્તારમાં ખુબ જ પ્રચલિત થયા હતાં. વર્ષ 1758માં તેઓએ 'અલમૈનક' સામાહિકમાં લેખો પ્રકાશિત કરવાનું બંધ કર્યું.
 |
તસવીરઃ- Google Photo |
હવે 'અલમૈનક' સામાહિકમાં બેંજામિને 'ફાધર અબ્રાહમ સર્મન'ને પ્રકાશિત કરવાનું શરૂ કર્યું. આજે પણ ફાધર અબ્રાહમ સર્મનને સંસ્થાન વિષયક અમેરિકન સાહિત્યનો એક પસિદ્ધ ભાગ માનવામાં આવે છે. આ પ્રકાશન દરમ્યાન બેંજામિને વધુને વધુ સ્થાનિક લોકોના મુદ્દાઓ પર ભાર મુક્યો. જેમાં તેઓએ લોકોને એક-બીજા સાથે જોડવાનું અને સામાન્ય લોકોના મુદ્દાઓની રજૂઆત કરવાનું કાર્ય હાથ ધર્યું.
વર્ષ 1767 બાદ તેઓ 'પેન્સિલવેનિયા ક્રોનિકલ' સામાહિક સાથે જોડાયા હતા. આ સામાહિક ક્રાંતિકારી લાગણીઓ અને બ્રિટીશ સરકારની નીતિઓની આકરી ટીકા કરવા માટે જાણીતું થયું હતું.
 |
તસવીરઃ- Google Photo |
બેંજામિન વિશે વાત કરતા ઈતિહાસકાર હેનરી સ્ટીલ કમિજર કહે છે કે, "બેંજામિન ખામી વગરનું અને પ્રામાણિકતાપૂર્વકનું પ્રકાશન કરતા હતાં."
આમ, બેંજામિન ફેંકલિનના પત્રકારત્વમાં સામાન્ય લોકોના મુદ્દાઓનો સમાવેશ થતો હતો. બેંજામિન પોતે પણ નિબંધો લખતા હતાં. આ નિબંધોમાં પણ સ્થાનિકોની જીવન-શૈલીમાં સુધારા કરવા યુક્ત મુદ્દાઓને આવરી લેવામાં આવતા હતાં. કહેવાય છે કે, વિદ્યાર્થીઓએ સમયનું આયોજન એટલે કે સમયપ્રત્રક બનાવવું હોય તો, બેંજામિન ફેંકલિનના જીવન ચારિત્રને ખાસ વાચવું જોઈએ. આ બાબતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પણ બેંજામિન ફેંકલિનના જીવન ચારિત્રની ખાસ્સી એવી પ્રશંસા કરી છે. બેંજામિન ફેંકલિન સામાહિકનું પ્રકાશન પણ ચોક્કસ સમય અને યોગ્ય લખાણ સાથે જ કરતાં હતાં. જેમ પત્રકારો પોતાની પાસે અંગત ડાયરી રાખતા હોય તેમ બેંજામિન પણ પોતાની અંગત ટાયરી રાખતા હતાં.
 |
તસવીરઃ- Google Photo |
બેંજામિને લંડનમાં બ્રિટનની સંસદ માટે અપ્રગટ સ્ટેમ્પ રદ કરવાનો પ્રયાસ કર્યો હતો. વર્ષ 1753માં બ્રિટીશ વસાહતો માટે ફિલાડેલ્ફિયાના પોસ્ટ માસ્ટર પણ રહ્યાં હતા. આમ, તેમણે રાષ્ટ્રીય સંચાર નેટવર્કની સ્થાપના કરવા માટે સક્ષમ કાર્ય કર્યું હતું. તેઓ રાજકારણ અને રાષ્ટ્રીય-આંતરરાષ્ટ્રીય બાબતોમાં સતત સક્રિય રહેતા હતા. વર્ષ 1785થી 1788 સુધી તેમણે પેન્સિલવેનિયાના ગવર્નર તરીકે સેવાઓ આપી હતી. શરૂઆતમાં તો તેમણે ગુલામો પર માલિકીનો વ્યવહાર કર્યો હતો, પરંતુ વર્ષ 1750ના દાયકામાં તેમણે ગુલામી સામે દલીલ કરતાં ગુલામી પ્રથાને નાબૂદ કરી હતી.
આ ઉપરાંત બેંજામિન ફેંકલિને એક અકાદમીની યોજના સ્થાપવાની યોજના બનાવી હતી. જેનો સ્વીકાર પણ કરવામાં આવ્યો હતો. બાદમાં આ અકાદમી જ 'યુનિવર્સિટી ઑફ પેંસિલ્વેનિયા'માં બદલાઈ ગઈ હતી. આ સિવાય વૈજ્ઞાનિક શોધખોળના વિષયમાં ચર્ચા કરવા હેતું બેંજામિને 'અમેરિકન ફિલોસોફિકલ સોસાયટી'ની સ્થાપના પણ કરી હતી. જેમાં તેમણે પોતે પણ વીજળી સંબંધિત અનેક પ્રયોગો કર્યાં હતાં.
Journalism of Benjamin Franklin, Pennsylvania Chronicle, Pennsylvania Gazette, Almanack,
No comments:
Post a Comment