Wednesday, September 6, 2017

પત્રકારોની હત્યા એક જ સંગઠને કરી હશે, આ રહી થોડીક હકીકતો...



પત્રકારોની હત્યા એક જ સંગઠને કરી હશે.....આ રહી થોડીક  હકીકતો......



ગૌરી લંકેશ
લંકેશ પત્રિકાના તંત્રી ગૌરી લંકેશની 5સપ્ટેમ્બરના રોજ ગોળી મારી હત્યા કરાઈ છે, જેમણે સાંપ્રદાયિકતા અને કટ્ટરપંથી વિરુદ્ધ અવાજ ઉઠાવ્યો હતો. પરંતુ આ વાત માત્ર અહી જઈને અટકતી નથી, આવી હત્યાઓના ઇતિહાસમાં જઈએ તો થોડીક વાસ્તવિક્તાઓ સામે આવે છે.

નરેન્દ્ર ડોભોલકર
તારીખ 20ઓગસ્ટ 2013ના રોજ મહારાષ્ટ્રમાં રહેતા નરેન્દ્ર ડોભોલકરની પણ ગોળી મારીને હત્યા કરાઈ હતી. નરેન્દ્રજીએ પણ અંધશ્રદ્ધા વિરુદ્ધ આંદોલન ચલાવ્યું  હતું. આથી તેની હત્યા થઈ હોય તેવુ માનવામાં આવે છે.

ગોવિંદ પાનસરે
બીજા એક વિચારક ગોવિંદ પાનસરે જેને 20ફેબ્રુઆરી 2015 ના રોજ મારી નખાવામાં આવ્યા હતા. તેઓએ સાંપ્રદાયિકતા સામે અવાજ ઉઠાવ્યો હતો. અને લોકોને જાગૃત કર્યા હતા.

એમ.એમ. કુલબર્ગી
20 ઓગસ્ટ 2015ના રોજ એમ.એમ,કુલબર્ગીની પણ ગોળી મારી હત્યા કરાઈ હતી. તેઓએ મૂર્તિ પૂજાનો વિરોધ કર્યો હતો. બધા પત્રકારોની હત્યા ગોળી મારીને જ કરાઈ છે અને બધાની એક જ 20 તારીખે જ હત્યા કરાઈ છે. આ હત્યાઓ પરથી એક વાત પર આવી શકાય કે આ હત્યાઓ કોઈ એક જ વિચારધારામાં માનનારા લોકોએ કરી છે.

જેમણે સાંપ્રદાયિકતા અને કટ્ટરપંથી વિરુદ્ધ અવાજ ઉઠાવ્યો હતો. તે તમામ લોકોની હત્યા થવી એ સામાન્ય બની ગઈ છે.


No comments:

Post a Comment