દેશમાં રાજ્યસભાની ચૂંટણી ઉમેદવારોના નામ જાહેર થઈ ગયાં છે, ત્યારે ગુજરાતમાં પણ ભાજપ અને કોંગ્રેસે પણ રાજ્યસભાના ઉમેદવારોના નામ જાહેર કર્યાં છે. એક તરફ ભાજપે કેન્દ્રીયમંત્રી પરષોત્તમ રૂપાલા અને મનસુખ માંડવિયાને જ સત્તાવાર ઉમેદવાર જાહેર કરી રીપિટ કર્યાં છે, તો બીજી તરફ કોંગ્રેસે પણ રાજ્યસભાના ઉમેદવારો તરીકે જાણીતા ધારાશાસ્ત્રી અમી યાજ્ઞિક અને છોટાઉદેપુરના પૂર્વ સાંસદ નારણ રાઠવાના નામની જાહેરાત કરી છે. મહત્વનું છે કે, આ વખતે વિધાનસભામાં કોંગ્રેસના ધારાસભ્યોની સંખ્યા વધુ હોવાથી કોંગ્રેસને બે બેઠકો મળી છે.
![]() |
તસવીરઃ- Google Photo |
ભાજપે પૂર્વ મંત્રી કિરીટસિંહ રાણાને ડમી ઉમેદવાર તરીકે મેન્ડેટ આપ્યું છે, તો કોંગ્રેસે પણ પી.કે. વાલેરાને અપક્ષમાંથી ફોર્મ ભરાવી અપક્ષી દાવ ખોલ્યો છે. નોંધનીય છે કે, ઓગસ્ટ, 2017માં ભાજપે પોતાના ચોથા ઉમેદવાર તરીકે બળવંતસિંહ રાજપૂતને મેદાને ઉતારી કોંગ્રેસના એહમદ પટેલની બેઠક છીનવાનો પ્રયાસ કર્યો હતો. જે સમગ્ર દેશમાં ચર્ચાનું કેન્દ્ર બની ગયું હતું. આ ચૂંટણી પહેલા કોંગ્રેસના કેટલાક ધારાસભ્યોએ પક્ષમાંથી રાજીનામું આપી ભાજપમાં જોડાયા હતાં. કોંગ્રેસ પણ પોતાના ધારાસભ્યોને તૂટતા બચાવવા તમામ MLAને બેંગલોર લઈ ગઈ હતી. આ ચૂંટણીમાં ક્રોસ વોટિંગ થયું હતું, છતાં અંતે અહેમદ પટેલની જ જીત થઈ હતી.
રાજ્યસભા માટે જાહેર થયેલા ભાજપના ઉમેદવારોના નામ પરથી સાબિત થાય છે કે, આ વખતે પણ ભાજપ પુરી તૈયારી સાથે મેદાનમાં ઉતરી છે. ભાજપે રાજ્યસભા ચૂંટણી માટે ઉત્તર પ્રદેશની 10 બેઠકો માટે 11 અને ગુજરાતની 4 બેઠક માટે ત્રણ ઉમેદવારને ઉમેદવારી દાખલ કરાવી ચૂંટણીને રસપ્રદ બનાવી દીધી છે. આંકડાકીય દ્રષ્ટિએ જોઈએ તો, યુપીથી ભાજપ પોતાના 8 ઉમેદવારોને આરામથી જીતાડી શકે છે. આવું થવાથી સપાના ટેકે ઊભા થયેલા બસપાના ઉમેદવારોની મુશ્કેલીઓ વધશે, એટલે કે યુપીમાં સપાની સાથે સાથે બસપાને પણ સાફ થઈ જશે.
એક હકીકત છે કે, અરૂણ જેટલી ગુજરાતમાંથી રાજ્યસભાના સાંસદ હતા, પરંતુ આ વખતે વિધાનસભામાં ભાજપની બેઠકો ઘટતા માત્ર ભાજપ માત્ર 2 સભ્યોને જ રાજ્યસભા મોકલી શકશે. તેથી જેટલીને યુપી મોકલવામાં આવ્યા છે. આમ, ગુજરાતમાં બંન્ને પાટીદાર નેતાઓને રિપીટ કરાયા છે. પાટીદાર રાજનીતિ તરફ નજર કરીએ તો ભાજપ ફરી એકવાર પાટીદારોને ટિકિટ આપી ગુજરાતની બીજા સમુદાયોને નજરઅંદાજ કરી રહી છે. આમ, ભાજપને લાગી રહ્યું છે કે, પાટીદાર જ આપણો ઉદ્ધાર છે, પરંતુ જ્ઞાતિગત રાજકારણની વાત કરીએ ગુજરાતમાં ક્ષત્રિય સમાજના સૌથી વધુ મત છે. ક્ષત્રિય સમાજ વિખૂટો હોવાથી આજ સુધી રાજકારણમાં યોગ્ય પડકાર ફેકી શક્યો નથી. ગુજરાતની રાજનીતિમાં પાટીદાર સમાજે પોતાનું પ્રભુત્વ વધાર્યું છે. આમ, શાહ પાટીદાર કાર્ડ ખેલી 2019ની લોકસભામાં 2014 વાળી કરવા માંગે છે.
![]() |
તસવીરઃ- Google Photo |
આ સિવાય રાજ્યમાં વિધાનસભાના પરિણામ બાદ કોંગ્રેસના વળતા પાણી થયાં છે, પરંતુ આગામી રાજ્યસભાની ચૂંટણીમાં કોંગ્રેસ ભાજપની નીતિ સમજી શકશે ખરી. એક તરફ વર્ષ 2019માં લોકસભાની ચૂંટણી આવી રહી છે, તો બીજી તરફ ભાજપ કુટનીતિ આપનાવી રાજ્યસભામાં પણ પોતાની બહુમતી મેળવવા મહેનત કરી રહ્યું છે. આમ, આ ચૂંટણીમાં પણ ભાજપ અધ્યક્ષ અમિત શહે બીજો એક માસ્ટર સ્ટોક લગાવ્યો છે. ભાજપે યુપીમાં પોતાના 8 ઉમેદવારોને ઉમેદવારી પત્ર દાખલ કરાવ્યું હતું. આ સિવાય ઉમેદવારી પત્ર પ્રક્રિયા ખત્મ થતાં પહેલાં બીજા ત્રણ ઉમેદવારોને પણ ઉમેદવારી પત્ર દાખલ કરાવ્યું હતું. આજ નીતિનું રાજકારણ ગુજરાતમાં પણ અપનાવ્યું છે, જેમાં ભાજપે પૂર્વમંત્રી કિરીટસિંહ રાણાને ડમી ઉમેદવાર તરીકે મેન્ડેટ આપાયું છે.
કહેવાય છે કે, પુરોષોત્તમ રૂપાલાની ગામડાંમાં સારી એવી પકડ છે. તેઓ ગુજરાતની કોઈપણ ચૂંટણી વખતે ગાંમડાંના સ્ટાર પ્રચારક તરીકે સૌથી વધારે આકર્ષક છે. આ સિવાય કિસાન સંઘના પ્રમુખ તરીકે તેઓને સમગ્ર ગુજરાતના ગ્રાઉન્ડ લેવલની તમામ બાબતોનું જ્ઞાન છે. જે તેમને રાજ્યસભામાં પણ કામ આવી રહ્યું છે. આ વખતે કોંગ્રેસે પણ અમી યાજ્ઞિકને પસંદ કરી એક ધારાશાસ્ત્રીને રાજ્યસભામાં મોકલવા તૈયારી દાખવી છે. હવે જોવાનું એ રહે છે કે, શું ખરેખર અમિત શાહ ભવિષ્યનો પ્લાન સફળ રહેશે, કે પછી ફરી એકવાર 150+ના સ્વપ્નની જેમ કોંગ્રેસ ભાજપના સપનાઓ પર પાણી ફેળવી દેશે.
મહત્વનું છે કે, રાજ્યસભાની ચૂંટણી માટે આગામી 23 માર્ચના રોજ મતદાન યોજાવાનું અને આ જ દિવસે સાંજે 5 કલાકે મતગણતરી પણ હાથ ઘરાશે.
No comments:
Post a Comment